16 એપ્રિલનાં રોજ હનુમાન જયંતીનાં અવસર પર હનુમાનજીને પ્રસન્ન કરવાથી શનિ, રાહુ-કેતુ જેવા ક્રૂર ગ્રહોની ખરા બ દ્રષ્ટિથી બચી શકાય છે.
16 એપ્રિલના રોજ છે હનુમાન જયંતી
કરો હનુમાનજીને પ્રસન્ન
શનિ, રાહુ - કેતુની ખરાબ અસરથી મળશે રાહત
16 એપ્રિલના રોજ છે હનુમાન જયંતી
હિંદુ પંચાંગનો પહેલો મહિનો એટલે કે ચૈત્ર મહિનો અત્યંત ખાસ છે. આ જ મહિનાથી હિંદુ નવવર્ષની શરૂઆત થાય છે. આ મહિનામાં ચૈત્ર નવરાત્રી આવે છે, ભગવાન શ્રી રામની જન્મદિવસ પણ આ જ મહિનામાં આવે છે અને શ્રી રામના પરમભક્ત હનુમાનનો જન્મદિવસ પણ આ મહિનામાં મનાવવામાં આવે છે. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાનાં દિવસે સંકટમોચન હનુમાનનો જન્મ થયો હતો. આ વર્ષે 16 એપ્રિલ 2022નાં રોજ શનિવારે હનુમાન જયંતી છે.
એપ્રિલ મહિનામાં રાહી બદ્દલી રહ્યા છે શનિ, રાહુ-કેતુ
જ્યોતિષની નજરોથી જોવા જઈએ, તો એપ્રિલ મહિનો ઘણા બદલાવો લઈને આવ્યો છે. આ મહિનામાં શનિ, રાહુ-કેતુ જેવા ગ્રહો રાશિ પરિવર્તન કરી રહ્યા છે, જેમની ખરાબ દ્રષ્ટિ પણ જીવન નષ્ટ કરવા માટે પૂરતી છે. છાયા ગ્રહ રાહુ-કેતુ 12 એપ્રિલ 2022નાં રોજ રાશિ પરિવર્તન કરી રહ્યા છે, જ્યારે શનિ 29 એપ્રિલ 2022નાં રોજ રાશિ બદલવા જઈ રહ્યા છે. જ્યોતિષ અનુસાર, આ ક્રૂર ગ્રહોની સ્થિતિમાં બદલાવ ઘણી રાશિનાં જાતકો પર ભારે સાબિત થશે. આવામાં આ ગ્રહોથી મળતા અશુભ ફળોનાં ઉપાયો કરી લેવામાં જ સમજદારી છે.
બધા સંકટો દૂર કરશે હનુમાન
પવનપુત્ર હનુમાન દરેક સંકટ દૂર કરે છે અને એટલા માટે જ તેમણે સંકટમોચન કહેવામાં આવે છે. જો 16 એપ્રિલનાં રોજ હનુમાન જયંતીનાં દિવસે અમુક ઉપાયો કરવામાં આવે, તો શનિ, રાહુ-કેતુથી મળતા ખરાબ પરિણામોથી ઘણી હદ સુધી રાહત મળે છે.
કરો હનુમાનજીને પ્રસન્ન
હનુમાન જયંતીનાં દિવસે 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાન મંદિરમાં જઈને સંકટમોચનની મૂર્તિ સામે બેસીને પાઠ કરો. આમ કરવાથી શનિની ઢેય્યા કે સાડા સાતીથી પીડિત જાતકોને પણ ઘણી રાહત મળે છે.
હનુમાનજીને ચણાનાં લોટનાં લાડુ ખૂબ જ ભાવે છે. હનુમાન જયંતીનાં દિવસે તેમને ચણાનાં લોટના લાડુનો ભોગ લગાવવો જોઈએ. આમ કરવાથી તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે. સંકટમોચનને મીઠું પાન પણ અર્પિત કરવું જોઈએ. તેમાં ગુલકંદ, ખોપરા, સોફ અને ગુલાબકતરીનો ઉપયોગ કરો પરંતુ ચૂનો, સોપારી, આર્ટીફીશીયલ સુગંધિત વસ્તુઓ ભૂલથી પણ ન મેળવો.
હનુમાનજીને સિંદૂર ચઢાવવાથી અનેક સમસ્યાઓનો ઉકેલ મળે છે. હનુમાન જયંતીનાં દિવસે બજરંગબલીને સિંદૂર જરૂર ચઢાવવું જોઈએ. સાથે જ ચમેલીનાં ફૂલોની માળા અને લાલ લંગોટ પણ અર્પિત કરો. જો આ ઉપાય હનુમાન જયંતીથી શરુ કરીને આવતી 11 પૂર્ણિમા સુધી કરશો, તો મોટા મોટા સંકટોથી રાહત મળી શકે છે.
હનુમાન મંદિરમાં ત્રિકોણ લાલ ઝંડો લહેરાવવો જોઈએ. આમ કરવાથી દરેક કામમાં સફળતા મળશે.