નવરાત્રી દરમિયાન અમૂક ઉપાયો કરવાથી માતાજી પ્રસન્ન થઈને ઈચ્છા અનુસાર ફળ આપે છે, જાણો આ ઉપાયો વિષે.
26 સપ્ટેમ્બરથી શરુ થઇ ચુકી છે શારદીય નવરાત્રી
માતા પ્રસન્ન થઈને ભક્તોને આપે છે આશીર્વાદ
અમૂક ઉપાયો કરવાથી મળે છે ઈચ્છા અનુસાર ફળ
26 સપ્ટેમ્બરથી શરુ થઇ ચુકી છે શારદીય નવરાત્રી
માં દુર્ગા શક્તિની ઉપાસનાનો પર્વ નવરાત્રી 26 સપ્ટેમ્બરથી શરુ થઇ ગઈ છે. નવરાત્રીનો સમય શુભ માનવામાં આવે છે. આ દરમિયાન માં દુર્ગાનાં નવ સ્વરૂપોની અલગ - અલગ રૂપમાં પૂજા કરવામાં આવે છે. હિંદુ ધર્મના લોકો પોતાના નોકરી, કારોબાર અને પરિવારમાં ખુશહાલી માટે માં દુર્ગાની આરાધના કરે છે. માન્યતા છે કે જો ભક્ત નવરાત્રી દરમિયાન સાચા ભાવથી માં દુર્ગાની આરાધના કરે છે, તેમના પર માં દુર્ગાની વિશેષ કૃપા રહે છે. આવામાં આજે અમે તમને જ્યોતિષનાં અમૂક એવા ઉપાયો વિષે જણાવશું, જે તમે નવરાત્રી દરમિયાન અપનાવો છો, તો માં દુર્ગા પ્રસન્ન થઈને ઈચ્છા અનુસાર ફળ આપે છે.
નોકરીમાં પ્રમોશનના ઉપાયો
જો તમે કોઈ પ્રાઈવેટ અથવા સરકારી નોકરી સાથે જોડાયેલા છો અને તમે ઈચ્છો છો કે નોકરીમાં પ્રમોશન મળે કે ઇન્ક્રીમેન્ટ મળે, તો નવરાત્રી દરમિયાન ગંગા જળથી ભરેલા કળશમાં લાલ અને પીળા ફૂલ લઈને માં દુર્ગાની મૂર્તિ પર અર્પિત કરો. ત્યાર બાદ તે કળશને પોતાના કાર્યસ્થળ પર ઇશાન કોણ એટલે કે ઉત્તર-પૂર્વ દિશામાં રાખી દો. જો તે કળશને ઓફિસમાં રાખવો સંભવ નથી, તો તમે તે જળથી ભરેલા કળશને પોતાના બેસવાના સ્થાન પર જળ છાંટીને પવિત્ર કરી લો. આમ કરવાથી ઓફીસનાં અધિકારીઓ સાથે મધુર સંબંધ બનશે અને તેઓ તમારાથી પ્રાભાવિત થઇ જશે, જેથી તમને પ્રમોશન મળી શકે છે.
કારોબારમાં પ્રગતિના ઉપાયો
જો તમે કોઈ કારોબાર સાથે જોડાયેલા છો અને તમે ઈચ્છો છો કે તમારા વ્યવસાયમાં તમને ખૂબ જ પ્રગતી મળે, તો તમે પીતળનાં વાસણમાં ગંગા જળ ભરીને તેમાં લાલ અને પીળા ફૂલ લઈને પોતાની ઓફીસની ઉત્તર પૂર્વ દિશામાં રાખી દો, જેથી તમારા કાર્યક્ષેત્રમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે અને કારોબારમાં પ્રગતિ પણ થશે.
પરિવારમાં સુખ શાંતિ અને પ્રગતિ માટે
જો લાંબા સમયથી તમારું કોઈ કામ અટકી પડ્યું છે, તો તમે નવરાત્રી દરમિયાન દરરોજ લાલ ચુંદડીમાં પંચમેવો રાખીને ચઢાવો, જ્યાર બાદ આ પ્રસાદને ગ્રહણ કરો. આમ કરવાથી અટકી પડેલા કામ સરળતાથી પૂરા થશે.
ઘરમાં નવરાત્રી દરમિયાન ચાંદીથી બનેલા સ્વસ્તિક, હાથી, દિપક, કળશ, શ્રીયંત્રને ખરીદીને માતાનાં ચરણોમાં અર્પિત કરો અને નવરાત્રીના છેલ્લા દિવસે તેને ગુલાબી કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દો આમ કરવાથી ક્યારેય આર્થિક તંગી નહીં આવે અને હંમેશા ધન સમૃદ્ધિ બની રહેશે.
નવરાત્રી દરમિયાન ગુલાબનાં ફૂલ માં દુર્ગાને દરરોજ અર્પિત કરો, આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે અને કમાણીનાં સ્ત્રોતોમાં પણ વૃદ્ધિ થાય છે.
નવરાત્રી દરમિયાન ઘર આંગણે લીંબૂ બાંધીને રાખી દો. આમ કરવાથી તમારા ઘરને ખરાબ નજર નહીં લાગે અને સાથે જ પરિવારના બધા સદસ્યોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
નવરાત્રી દરમિયાન જરુરીયાતમંદોને કાળા તલનું દાન કરો. સાથે જ કન્યાઓને લાલ કપડાની ભેટ આપો. આમ કરવાથી સામાજિક માન - સમ્માનમાં વૃદ્ધિ થશે.