આપણે બધા જાણીએ છીએ કે હનુમાજી શિવજીતનો અવતાર છે, આ માટે જો શ્રાવણ મહિનામાં શિવજીની સાથે સાથે હનુમાનજીની પણ પૂજા-અર્ચના કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.
શિવજીની જેમ બજરંગબલીને સાચ્ચા હૃદયથી ભજવામાં આવે તો તે પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ ઇચ્છાઓ સાંભળીને પૂરી કરે છે. હનુમાનજી ભક્તોની મનોકામના પૂર્ણ કરવાની સાથે સાથે ભક્તો માટે રક્ષા કવચ પણ બને છે, જે તમામ ખરાબ બાબતોથી તેમની રક્ષા કરે છે.
શ્રાવણ માસમાં જો તમે શિવજીની સાથે હનુમાનજીની પણ કૃપા ઇચ્છો છો તો શ્રાવણના મંગળવાર નીચે બતાવેલા ઉપાય કરવાથી તમે આશીર્વાદ મેળવી શકો છો. આ ઉપાય એકદમ સરળ અને ઓછો ખર્ચાળ છે પણ શરત એટલી કે માત્ર સાચ્ચા હૃદયથી કરવો જોઇએ.
- શ્રાવણ માસમાં 4 મંગળવાર આવે છે. ઉપાય પ્રમાણે મંગળવારે સાંજે 5 વાગ્યે હનુમાનજીની તસવીર કે મૂર્તિની સામે આસાન લગાવીને બેસો અને ચમેલીના તેલથી દીવો કરીને ભગવાનની સામે મૂકો. તમે હનુમાનજી સાથે જોડાયેલા એક મંત્રનો જાપ અથવા તો પ્રાર્થના કરીને આ ઉપાય કરી શકો છો.
- આ સિવાય એક પાન લઇને તેના પર થોડો ગોળ નાખો અને ચણા રાખીને ભગવાનને ભોગ ધરાવો. આ સિવાય તમે હનુમાનજીના મંદિરમાં જઇને દાદાને ગુલાબના ફૂલોની માળા પણ અર્પિત કરો અને પછી આ મંત્રનો राम रामेति रामेति रमे रामे मनोरमे। सहस्त्र नाम तत्तुन्यं राम नाम वरानने।। જાપ કરો. જાપ પૂરો થયા પછી ભગવાનને ચઢાવેલી માળામાંથી એક ફૂલ ઘરે લઇ જાવો. આ ઉપાય કરતા ધ્યાન રાખો કે પાછા ફરી ના જોવુ. ઘરે આવીને આ ફૂલને લાલ કપડામાં બાંધીને જ્યાં ધન-સંપત્તિ મૂકો છો ત્યાં મૂકી દો. આ ઉપાયથી ધનમાં વુદ્ઘિ થાય છે.