ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસ જન્માષ્ટમીના દિવસે ભારત સહિત વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે.આ દિવસે કૃષ્ણ ભગવાનની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે પણ સાથે એવા કેટલાક ઉપાય પણ છે જેને કરવાથી શ્રીકૃષ્ણ તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરશે.
સામાન્ય રીતે જો ઘરે પૈસાની તંગી હોય કે ઘરનો માહોલ તણાવગ્રસ્ત હોય કે પછી ઘરમાં પૈસાને લઇને ઝઘડા થતા હોય, તો જન્માષ્ટમીની રીતે એવા કેટલાક ઉપાયો કરો જેનાથી ઘરમાં શાંતિ અને સમુદ્ઘિ પરત ફરશે.
શંખ:
કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપનો અભિષેક શંખના દૂધ નાંખીને કરો. અભિષેક કરીને માતા લક્ષ્મીજીની પૂજા કરો, આમ કરવાથી ભગવાન કૃષ્ણ પ્રસન્ન થાય છે. આ સાથે જ માતા લક્ષ્મીજી પ્રસન્ન થઇને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરશે.
ફળ અને અનાજ:
જન્માષ્ટમીની દિવસે ગરીબોને ફળ અને અનાજ દાન કરો, આમ કરવાથી તમારુ વ્રત સફળ થશે અને શુભ ફળની પ્રાપ્તિ પણ થશે.
તુલસી:
ભગવાન શ્રીકૃષ્ણને તુલસી અતિપ્રિય છે, આથી ભોગમાં તુલસીના પાનને અવશ્યથી શામેલ કરો.
માખણ-મિશ્રી:
તમામ લોકો જાણતા હશે કે ભગવાન શ્રીકૃષ્ણને માખણ અને મિશ્રી ખૂબ જ પસંદ હોય છે. જો માખણ અને મિશ્રીનો ભોગ લગાવવાથી ભગવાન કૃષ્ણ પ્રસન્ન થાય છે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.
પીળા વસ્ત્રો:
કાનુડાને પીળો રંગ ખૂબ જ પંસદ છે. જન્માષ્ટમીના દિવસે કાનુડાને પીળા રંગના વસ્ત્ર પહેરાવો. આમ કરવાથી ભગવાન શ્રીકૃષ્ણ પ્રસન્ન થશે. વસ્ત્રમાં મોરપીંછ લગાવવાનું ના ભૂલતા.
જન્માષ્ટમીની પૂજાની સામગ્રીમાં કરો આ વસ્તુઓનો ઉપયોગ:
ભગવાન કૃષ્ણનું નામ સાંભળતા જ આપણા મનમાં નટખટ બાળગોપાલની છબી દેખાવા લાગે છે. માથા પર સુંદર મોરપીંછ, હાથમાં વાસંળી, જાણો એવું લાગે છે કે, ભગવાન સાક્ષાત સામે હોય. જન્માષ્ટમીની પૂજામાં ભગવાનનો શ્રૃંગાર મહત્વનો માનવામાં આવે છે. મોરપીંછ, મોરમુગટ, વાંસળી, માખણ-મિસરી, પારણું, નવા વસ્ત્રો, ગાય, ગીતાની પોથી જેવી વસ્તુઓ ભગવાનની પૂજામાં શામેલ કરવામાં આવે છે.