દશેરા સાથે 2 ધાર્મિક કથાઓ જોડાયેલી છે. ભગવાન શ્રીરામે આ દિવસે રાવણનો વધ કર્યો હતો. 9 રાતે તથા 10 દિવસના યુદ્ઘ પછી આજ દિવસે માતા દુર્ગાએ મહિષાસુરનો નાશ કર્યો હતો. આથી જ દશેરા વિજયા દશમી તરીકે ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે શરૂ કરવામાં આવેલુ કામ ક્યારેય નિષ્ફળ જતુ નથી.
ઝાડૂને દેવી મા લક્ષ્મીનું પ્રતિક માનવામા આવે છે. આથી તેના ઉપાય ધન સંબંધિત સફળતા મેળવવામાં મદદ કરે છે. તમે આ ઉપાય દશેરાના દિવસે ચોક્કસથી કરજો.
- દશેરાની સાંજે જ્યારે પણ રાવણ દહનની વિધિ થઇ જાય ત્યારે કોઇ મંદિરમાં નવું ઝાડુ કોઇ એવી જગ્યા મૂકી આવી જ્યાં તમને આ મૂકતા કોઇ બીજું જોઇ ના શકે. મા લક્ષ્મી દાન પ્રસન્ન કરે છે. ઝાડૂના ઉપાય તમારી ધન સંબંધિત બધી જ મુશ્કેલીઓ દૂર કરે છે. જો તમને એવું લાગે છે કે તમે મંદિરમાં છૂપાઇને આ કામ નહી કરી શકો તો કોઇ બાળક પાસે આ કામ કરાવો.
- નાની નાની ચિઠ્ઠીમાં રામનું નામ લખો અને તેને લોટની નાની ગોટી વચ્ચે રાખીને માછલીઓને ખવડાવો. આમ કરવાથી તમારા પર હંમેશા રામ ભગવાનની કૃપા રહેશે અને તમારે ક્યારેય અછતના દિવસો નહી જોવા પડે.
- ધન પ્રાપ્તિ માટે કોઈ કૂતરાને બેસનના લાડુ ખવડાવવાનું શરૂ કરો.આવું 43 દિવસ સુધી કરો. આવું કરવાથી ધન લાભના યોગ બનશે અને ઘરમાં બરકત આવશે. જો ઘરમાં પૈસા ના ટકતા હોય તો આ લક્ષ્મી પર સ્થિર રહેશે. તમારા ધનની લગતી તમામ સમસ્યાઓ દૂર થશે. તમારા અધૂરા કામ પણ પૂરા થઇ જશે.
- દશેરાની રાતથી લઇને શરદ પૂર્ણિમાં સુધી 15-20 મિનિટ સુધી આંખ ઝપકાવ્યા વિના ચંદ્રને જોવો. આમ કરવાથી આંખનું તેજ વધે છે અને વશીકરણ શક્તિ પ્રાપ્ત થાય છે.
દશેરાની રાતથી પૂર્ણિમા સુધી ચંદ્રના કિરણો અમૃત સમાન હોય છે અને આજ દરમિયાન આ વિશેષ ઉપાય વ્યકિતને અદ્બૂત આંતરિક શક્તિ આપે છે. તે કોઇની પાસે પણ પોતાની વાત મનાવી શકે છે અને મનોકામના પૂરી થાય છે.