હોળીકા દહનને નકારાત્મક્તાના અંતના રીતે જોવામાં આવે છે. માન્યતા છે કે હોળીકા દહન વખતે અમુક ઉપાય કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ શકે છે અને જીવન સુખદ બની શકે છે.
હોળીકા દહન વખતે કરો આ કામ
દૂર થશે જીવનની દરેક મુશ્કેલીઓ
જાણો આ ઉપાયો વિશે
દર વર્ષે ધૂળેટી રમતા પહેલા હોલિકા દહન કરવામાં આવે છે. હોલિકા દહન અસત્ય પર સત્યની જીતનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસો યજ્ઞ કરવા માટે શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે હોલિકા દહનની અગ્નિમાં યજ્ઞ કરવાથી જીવનની નકારાત્મકતા સમાપ્ત થાય છે. આ વખતે હોળીનો તહેવાર 18 માર્ચ 2022ના રોજ ઉજવવામાં આવશે. ભદ્રકાળ હોવાથી હોલિકા દહન 17 અને 18 માર્ચની મધ્યરાત્રિએ થશે. એવું માનવામાં આવે છે કે જો હોલિકા દહન દરમિયાન કેટલાક ઉપાય કરવામાં આવે તો જીવનની તમામ સમસ્યાઓનો અંત આવે છે. અહીં જાણો આ ઉપાયો વિશે.
સમૃદ્ધિ માટે
એવું કહેવાય છે કે હોલિકા દહનના સમયે જો અનાજની આહુતી આપવામાં આવે તો પરિવારમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. આવી સ્થિતિમાં તમે મકાઈ, અડદ, ઘઉં, મસૂર, ચણા, ચોખા કે જવમાં કોઈપણ એક વસ્તુ અર્પણ કરી શકો છો.
આર્થિક સંકંટથી છુટકારો મેળવવા માટે
જો તમારા પરિવારમાં આર્થિક સંકટ છે તો તમારે દેશી ઘીમાં પલાળેલા બે પતાશા, બે લવિંગ અને એક પાનના પત્તાની આહુતિ આપવી જોઈએ. તેનાથી ઘરમાં ધીરે ધીરે ધનનું સંકટ સમાપ્ત થઈ જાય છે અને આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે.
લગ્નના અડચણને દૂર કરવા માટે
જો તમારા દરેક પ્રયત્નો છતાં પણ વિવાહમાં મુશ્કેલી આવી રહી છે તો લગ્નની અડચણને દૂર કરવા માટે એક પાનના પત્તા પર એક પતાશુ અને હળદરના ટુકડાને મુકીને હોળીકા દહનની અગ્નીમાં આહુતિ આપો. અને મહાદેવ અને માતા પાર્વતીનું ધ્યાન કરો અને તેમને દરેક મુશ્કેલીઓ દૂર કરવાની પ્રાર્થના કરો.
બીમારીથી છુટકારો મેળવવા માટે
બીમારીથી છુટકારો મેળવવા માટે હોલિકા દહનની રાત્રે એક સફેદ કપડામાં 11 ગોમતી ચક્ર, નાગકેસરના 21 જોડા અને 11 કોડિયા બાંધો અને કપડા પર હરસિંગાર અને ચન્દનનું અતર લગાવો. ત્યાર બાદ રોગીના માથા પરથી સાત વખત ઉતારો. હોળીના બીજા દિવસે શિવ મંદિરમાં તેને મુકી આવો. આ ઉપાયને બધાની નજરોથી ચોરીને કરો. તેનાથી વધારે ફાયદો હશે.