ઘણી વખત ખરાબ નજર લાગવાથી વ્યક્તિ દેવાનાઆ બોજ તળે દબાઈ જાય છે પણ જ્યોતિષના અમુક ઉપાયો કરવાથી દેવામાંથી મુક્ત થઈ શકાય છે.
ઘણી વાર ખરાબ નજર લાગવાથી વ્યક્તિ દેવા તળે દબાઈ જાય છે
મંગળવારે દેવાનું ઇન્સ્ટોલમેન્ટ ચૂકવવાથી લાભ થાય છે
શિવજી અને ગણેશજીને યાદ કરવાથી પણ ઉધાર ઉતરી જાય છે
ઘણી વાર ખરાબ નજર લાગવાથી વ્યક્તિ દેવા તળે દબાઈ જાય છે
જીવનમાં ઘણીવાર સારા ચાલતા કારોબારને પણ ખરાબ નજર લાગી જાય છે. પછી વ્યક્તિને લાભને બદલે અચાનક નુકસાન થવા લાગે છે અને ઉધારના બોજ તળે વ્યક્તિ દબાતો જાય છે. જો તમારી સાથે પણ આમ જ થઈ રહ્યું છે તો તમારે આ જ્યોતિષ ઉપાયોને એક વખત અજમાવવા જોઈએ.
1. જ્યોતિષ અનુસાર, જો તમે ઉધારથી પરેશાન છો અને લાખ કોશિશો બાદ પણ મુક્તિ નથી મળી રહી, તો તમારે આ દૂર કરવા માટે ઉધારના ઇન્સ્ટોલમેન્ટને પ્રત્યેક મંગળવારે પરત આપવા જોઈએ. માન્યતા છે કે જ્યોતિષના આ ઉપાયથી વ્યક્તિ જલ્દી જ ઉધારથી મુક્ત થઈ જાય છે.
2. જ્યોતિષ અનુસાર, જો તમારો ઉધાર ઉતરી નથી રહ્યો, તો તમે દરરોજ ભગવાન શિવની વિધિ વિધાનથી પૂજા કરીને રુદ્રાક્ષની માળાથી 'ૐ ઋણ મુક્તેશ્વર મહાદેવાય નમઃ' નો વધારેમાં વધારે જાપ કરો.
3. જો તમે ઈચ્છો છો કે તમારો ઉધાર જલ્દી ઉતરી જાય તો દરરોજ ગણપતિની પૂજા શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરવી જોઈએ. માન્યતા છે કે બુધવારના દિવસે ગણપતિને સિંદૂર ચઢાવીને 'ઋણહર્તા ગણેશ સ્તોત્ર' નો પાઠ કરવો જોઈએ.
4. જ્યોતિષ અનુસાર, જો ઘણા પ્રયત્નો બાદ પણ તમારો ઉધાર ઉતરી નથી રહ્યો તો તમારે કોઈ નદી કે તળાવની માછલીઓને લોટની ગોળીઓ પણ નાંખવી જોઈએ.
5. જો તમારા જીવન સાથે જોડાયેલ ઋણ તમારા માટે એક જાળ બની ગયું છે અને ઘણા પ્રયત્નો પછી પણ તે દૂર નથી થઈ રહ્યું તો તમારે તમારા ઘરના વાસ્તુ દોષો પર એક વાર નજર નાખવી જોઈએ. વાસ્તુ અનુસાર જે લોકોનું ઘર બે મોટા ઘરોની વચ્ચે દટાયેલું હોય છે, તેઓ મોટાભાગે દેવાના બોજમાં દબાઈ જાય છે. તેવી જ રીતે અરીસો ખોટી દિશામાં લગાવવાથી અને પૂજા સ્થાનની નીચે પથ્થરની પટ્ટી લગાવવાથી પણ ઋણ વધે છે.