આજકાલ વધી રહેલાં પ્રદૂષણના સમયમાં શહેરોમાં રહેતાં ઘણા ખરા લોકોને શ્વાસની તકલીફો પડી રહી છે. શ્વાસ અને અસ્થમાની ગંભીર બીમારીઓ માટે એલોપેથી મોંઘી દવાઓ કરતાં જો ઘરગથ્થું ઉપચારમાં દેશી(ભારતીય) ગાયનું ઘી ઉપોયગ કરવામાં આવે તો માત્ર એક જ મહિનામાં આ રોગમાંથી મુક્તિ મળે છે અથવા શ્વાસની તકલીફો ઘટી જાય છે.
એલોપેથી અને મોંઘી દવાના નુકશાન
શ્વાસ અને અસ્થમાની બીમારી કાંતો વારસાગત હોય અથવા તો પ્રદૂષણના કારણે થતી હોય છે. મોટા ભાગે એલોપેથીના ડોક્ટરો આ અંગે મોઢેથી લેવાનાં પમ્પ અથવા તો ગળવાની ગોળીઓ આપતાં હોય છે. આ દવાઓ મોંઘી પણ છે અને શરીરમાં કીડનીને નુકશાન કરતાં પણ તેની સામે દેશી ગાયના ઘીનો પ્રયોગ ખૂબ જ સરળ અને સસ્તો છે.
ઘરગથ્થું ઘીના ઉપચારથી ફાયદો
દેશી(ભારતીય) ગાયનું વલોણાંથી બનેલા ઘીનો ઉપયોગ કરી શ્વાસ અને અસ્થમાની બીમારી સંપૂર્ણ પણે મટાડી શકાય છે. શરીરમાં શ્વાસોશ્વાસની માટે ઉપોયગમાં લેવાતાં તમામ અંગો અને સ્નાયુંઓ નાભી (ડુંટી) સાથે જોડાયેલાં હોય છે. જો ઘી દરરોજ 3 વખત નાભી પર લગાવવામાં આવે અથવા ભરવામાં આવે તો એક મહિનામાં શ્વાસની તકલીફો દૂર થઈ જાય છે.
ઘીમાં એવું શું છે કે રોગ દવા વગર જ ઠીક થઈ જાય
દેશી ગાયના ઘીમાં સત્વ હોય છે. સત્વ અર્થાત્ ગાયની સૂર્યકેતું નામની નાડીમાંથી બનેલું અમૃત કે જે ગાયના દૂધમાં ભળે અને ત્યારબાદ ઘીમાં પરિણમે. આ દૂધમાંથી દહીં અને વલોણાથી છાશ બનાવવામાં આવે તો આ સત્વ ટકી રહે અને તે ઘીમાં હોવાથી શ્વાસની પ્રક્રિયા ઠીક થઈ જાય છે.