હિન્દુ ધર્મમાં ધાર્મિક આસ્થા છે કે માતાજીની પૂજા પૂર્ણ વિધિ-વિધાનથી કરવા પર માતા દરેક લોકોની મનોકામનાઓ પૂરી કરે છે. દેવ યક્ષ કિન્નર દાનવ ઋષિ-મુનિ સાધક અને ગૃહસ્થ આશ્રમમાં જીવંત કરનાર ભક્ત સિદ્ધીદાત્રીની પૂજા કરે છે.
પોતાના સાધક ભક્તોને મહાવિદ્યા અને અષ્ટ સિદ્ધિઓ પ્રદાન કરે છે. માન્યતા છે કે દરેક દેવી-દેવતાઓને પણ માતા સિદ્ધિદાત્રીથી સિદ્ધિઓ પ્રાપ્તિ થઇ છે.
પોતાના આ સ્વરૂપથી માતા સિદ્ધિદાત્રી કમલ પર બિરાજમાન છે અને હાથમાં કમલ શંખ ગદા સુદર્શન ચક્ર ધારણ કરેલું છે. સિદ્ધિદાત્રી દેવી સરસ્વતીનું પણ સ્વરૂપ છે. માતાજીને મોસમી ફળ હલવો પુરી કાળા ચણા અને નારિયેળનો ભોગ ચડાવવામાં આવે છે.
માતાજીને રાજી કરવા દિકરીઓને પ્રસાદ સાથે દક્ષિણા આપો અને તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો. પૂજા કરતા સમયે જાંબલી રંગના કપડા પહેરવા શુભ માનાવમાં આવે છે. આ રંગ આધ્યાત્મનું પ્રતીક છે.