શિખર ધવને કહ્યું કે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓમાં ઈગોની સમસ્યા છે. તેમનું કહેવું છે કે જ્યારે આપણે ઘણા સમય સુધી સાથે રહીએ છીએ તો ઈગો હોવો સામાન્ય વાત છે.
શિખર ધવને ટીમ ઈન્ડિયાને લઈને કર્યો ખુલાસો
કહ્યું- ખેલાડીઓમાં ઈગોની સમસ્યા
ખેલાડીઓમાં ઈગોને લઈને આપી પ્રતિક્રિયા
શિખર ધવન હાલ ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહ્યા છે. ટેસ્ટ અને ટી20માં પોતાની જગ્યા ખોઈ ચુકેલા ગબ્બર પર વનડે ટીમમાંથી સંપૂર્ણ રીતે બહાર થવાનો ખતરો છે. બાંગ્લાદેશના વિરૂદ્ધ વન ડે સીરિઝ બાદથી તેમને વન ડે ટીમમાં શામેલ નથી કરવામાં આવ્યા.
વર્ષ 2023ના વિશ્વકપમાં તેની પસંદગી થવી મુશ્કેલ છે. હાલમાં જ શિખર ધવને ભારતીય ટીમમાં ખેલાડીઓના ઈગોને લઈને ખુલાસો કર્યો છે. એક ઈન્ટરવ્યૂમાં જ્યારે તેમને ટીમના વિરૂદ્ધના ઈગો વિશે પુછવામાં આવ્યું તો તેમણે પોતાની પ્રતિક્રિયા આપી.
ઈગો હોવો સામાન્ય વાત
એક રિપોર્ટ અનુસાર જ્યારે આ અનુભવી બેટ્સમેન પાસે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના ઈગો વિશે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું, "ઈગો ક્લેશ થવા એક હ્યુમન વસ્તુ છે."
શિખરના જણાવ્યા અનુસાર, "ઈગો હોવો એક ખૂબ જ માનવીય અને સામાન્ય વાત છે. અમે લગભગ 220 દિવસ સાથે રહ્યા છીએ. ઘણી વખત લોકોની વચ્ચે ગેરસમજ થઈ જાય છે. એવું ખેલાડિયો સાથે પણ થાય છે. હું રોહિત શર્મા અથવા વિરાટ કોહલીની વાત નથી કરી રહ્યો. ઈગો હોવો એક સામાન્ય વાત છે."
રોહિત અને વિરાટનું નામ લેવાનો કર્યો ઈનકાર
આ દરમિયાન શિખરે રોહિત શર્મા અને વિરાટ કોહલીનું નામ લેવાનો ઈનકાર કર્યો. તેમણે કહ્યું, "જ્યારે લોકો એક બીજાની સાથે આટલો સમય પસાર કરે છે આવી વસ્તુઓ થવી નોર્મલ છે."
ધવને આગળ કહ્યું, "અમારી 40 લોકોની ટીમ છે જેમાં સપોર્ટ સ્ટાફ અને મેનેજર પણ શામેલ છે. જ્યારે તમે કોઈનાથી ખુશ નથી થતા તો અમુક ઝગડા અને ગેરસમજ થઈ શકે છે. એવું થાય છે. જ્યારે વસ્તુઓ સારી હોય છે તો પ્રેમ પણ વધે છે."
શુભમનને ગણાવ્યો દાવેદાર
આ સમયે શિખર ધવને વન ડે ટીમમાં પોતાની જગ્યા ખોવાની પણ વાત કરી. તેમણે કહ્યું, "શુભમન ગિલ તેમનાથી વધારે ડિઝર્વિંગ પ્લેયર છે." ધવન અનુસાર, "મારૂ માનવું છે જે રીતે શુભમન ગિલ રમે છે. જે પ્રકારે તેણે ટેસ્ટ અને ટી20માં સારૂ પ્રદર્શન કર્યું છે અને હું ન હતો. જો હું પસંદગી કરત તો શુભમનને તક આપત. હું શુભમનને શિખર પહેલા ટીમમાં સિલેક્ટ કરૂ."