આજે નવરાત્રિનું પાંચમું નોરતું છે અને આ દિવસે સ્કંદમાતાની પૂજા, આરાધના કરવાનું વિશેષ મહત્વ છે. સ્કંદમાતાની મૂર્તિ પ્રેમ અને વાત્સલ્યનું પ્રતીક છે. સાથે જ તે સાક્ષાત દુર્ગાનું પ્રતીક છે. સ્કંદમાતાનું નામ ભગવાન કાર્તિકેયથી આવ્યું છે. મા દુર્ગાએ આ રૂપમાં કુમાર કાર્તિકેયને જન્મ આપ્યો હોવાથી તે સ્કંદમાતા કહેવાઈ.
પાંચમા નોરતે કરો સ્કંદમાતાની પૂજા
સ્કંદમાતાની મૂર્તિ પ્રેમ અને વાત્સલ્યનું પ્રતીક છે
માતાનું આ રૂપ આપે છે સંતાનનું વરદાન
જાણી લો પૂજાની વિધિ
માતા આપે છે સંતાનનું વરદાન
જે લોકોને સંતાન પ્રાપ્તિમાં બાધા આવી રહી હોય છે તેમને માતાના આ સ્વરૂપની પૂજા કરવી જોઈએ. આદિશક્તિનું આ સ્વરૂપ સંતાન પ્રાપ્તિની કામના પૂર્ણ કરનારું માનવામાં આવે છે. સ્કંદમાતાની પૂજામાં કુમાર કાર્તિકેયનું હોવું જરૂરી હોય છે.
આવું છે માતાનું અદભૂત સ્વરૂપ
માના આ રૂપની ચાર ભૂજાઓ છે. તેઓએ જમણી તરફ કાર્તિકેયને ખોળામાં લીધો છે. નીચેની ભૂજાના હાથમાં કમળનું ફૂલ છે અને અન્ય તરફ વરમુદ્રા છે. નીચે એક બીજું શ્વેત કમળનું ફૂલ છે. સિંહ તેમનું વાહન છે કારણ કે તે સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી છે. આ માટે તેમની ચારે તરફ સૂર્ય અલોકિક તેજોમંડળ જેવો દેખાય છે. કાયમ કમળના આસન પર બિરાજતા હોવાથી તેમને પદ્માસના પણ કહેવામાં આવે છે.
પૂજામાં આ સામગ્રી અચૂક રાખો
સ્કંદમાતાની પૂજામાં ઘનુષ બાણ અર્પિત કરવાનું મહત્વ છે. તેમને સુહાગનો સામાન જેમકે લાલ ચુંદડી, સિંદૂર, નેલપોલિશ, ચાંલ્લો, મહેંદી, લાલ બંગડી, લિપસ્ટિક અર્પણ કરવાનું મહત્વ છે. નવરાત્રિના પાંચમા દિવસે લાલ વસ્ત્રમાં માતાને આ દરેક સામગ્રી લાલ ફૂલ અને ચોખા સાથે અર્પણ કરવી જોઈએ. મહિલાઓના સૌભાગ્ય અને સંતાન પ્રાપ્તિની શક્યતા વધી જાય છે.
આ મંત્ર સાથે કરો પૂજા
सिंहासना गता नित्यं पद्माश्रि तकरद्वया।
शुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी।।
या देवी सर्वभूतेषु मां स्कंदमाता रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।
માતાને ચઢાવો આ ભોગ અને ભેટ
સ્કંદમાતાને ભોગમાં કેળું અર્પણ કરવું અને સાથે પીળી વસ્તુ માતાને પ્રિય હોય છે માટે કેસર નાંખીને ખીર બનાવવી. તેનો ભોગ ધરાવવો.