દેશના કેટલાય રાજ્યોમાં શાળાઓ ખુલી રહી છે ત્યારે,વાલીઓની બાળકો અંગેની ચિંતાનું એમ્સના ડિરેકટર ડો.ગુલેરીયાએ નિરાકરણ આપ્યું
શાળાઓ ખૂલતાં વાલીઓ ચિંતિત
શું બાળકોને મોકલવા જોઈએ શાળાએ ?
શું કહે છે એમ્સના ડિરેક્ટર ડો.ગુલેરિયા
કોરોનાના કેસ ફરી એક વાર વધી રહ્યા છે.દરમિયાન કેટલાય રાજ્યો શાળાઓ ખોલી રહ્યા છે,જેથી વાલીઓના મનમાં બાળકોના સ્વાસ્થ્યને લઈને કેટલીક આશંકાઓ પ્રવર્તે છે.કેટલાય વાલીઓ શાળાઓ ખોલવાના પક્ષમાં છે તો કેટલાક આ નિર્ણયની વિરૂધ છે.આ સંદર્ભમાં દિલ્લીની અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા ( એમ્સ )ના ડિરેકટર ડો.રણદીપ ગુલેરીયાએ નાગરિકોની ચિંતાઓ દૂર કરવા પ્રયત્ન કર્યો છે અને તેઓની મન;સ્થિતિમાં ચાલતા સવાલોના જવાબ આપ્યા.
સવાલ - દેશમા કોરોનાના કેસ ઘટી નથી રહ્યા આમ છતાં કેટલાક રાજ્યો શાળાઓ ખોલી રહી રહી છે.શું માનો છો ?
ડો.ગુલેરિયા - મારું માનવું છે કે, જે જિલ્લાઓમાં કોરોનાના કેસ ઓછા છે,અને સંક્રમણ પણ ઓછું છે.ત્યાં કોવિડ માર્ગદર્શિકા અનુસાર શાળાઓ ખોલવાની પરવાનગી આપવી જોઈએ. શાળાઓએ 50 ટકા હાજરી સાથે અથવા અલગ-અલગ શિફ્ટમાં શરુ કરવી જોઈએ.શાળાઓને સેનેટાઈઝ કરવા સાથે સામાજિક અંતર સાથે બાળકોને બોલાવી શકાય.શાળામાં બાળકો પર પણ ધ્યાન આપવું પડશે.
. સવાલ - જ્યારે કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોણે અસર થશે તેવી આશંકાઓ વ્યક્ત થઇ રહી છે.તેવામ શાળાઓ ખોલવી ઉચિત છે ?
ડો.ગુલેરિયા - ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાની વાત એટલે કરવામાં આવી છે કે, બાળકો માટે હજુ વેક્સીનેશન નથી થયું.જો આપણે એટલે કે ભારત,યુરોપ અને બ્રિટનની ત્રીજી લહેર પર નજર કરીએ તો જાણવા મળશે કે, બહુ ઓછા બાળકો વાયરસનો શિકાર બન્યા છે.ભારતમાં પણ બહુ ઓછા બાળકો કોરોનાથી સંક્રમિત થયા છે.આ સિવાય ICMR સિરો સર્વેના આંકડા દર્શાવે છે કે,અંદાજે 55 ટકા બાળકોમાં પહેલેથી જ વાયરસ વિરોધી એન્ટીબોડી વિકસિત થઇ ચુકી છે.આ સ્થિતિમાં કોરોનાની માર્ગદર્શિકા મુજબ શાળાઓ ખોલી શકાય.
સવાલ - મોટી સંખ્યામાં વાલીઓ વેકસીન લગાવ્યા વગર બાળકોને શાળાએ મોકલવા પર વિરોધ દર્શાવે છે.શી પ્રતિક્રિયા છે ?
જવાબ -તમામ બાળકોનું રસીકરણ કરવામાં ઘણો સમય લાગશે.આવી સ્થિતિમાં તો આવતા વર્ષ પછી જ શાળાઓ ખુલી શકે.આ પછી વાયરસના નવા વેરીયંટનું પણ જોખમ રહે. આવી ચિંતાઓ વચ્ચે તો શાળાઓ ખોલી જ ના શકીએ.જ્યાં ઓછા કેસ આવી રહ્યા છે,ત્યાં શાળાઓ ખોલી શકાય છે.જેમ કે,દીલ્લીમાં 100 ની આસ-પાસ કેસ આવી રહ્યા છે.તો સતર્કતા અને કોવિડના નિયમ પાલનથી શાળાઓ ખોલી શકાય છે. કેરળમાં કેસ વધારે છે તો ત્યાં શાળાઓ ના ખોલી શકાય.
સવાલ- શાળાઓમાં કેવા પ્રકારની સાવધાની રાખવી જોઈએ ? તમારી શી સલાહ છે ?
શાળાઓમાં શિક્ષણથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે.બાળકોનો સમય શાળામાં શિક્ષક અને મિત્રો સાથે વ્યતીત થાય છે.અને બહુ બધું શીખે છે. શ્લાઓમાં પુરતી સતર્કતા દાખવાય અને કોરોનાની માર્ગદર્શિકામાં કોઈ ચૂક ના રહી જાય તેવી કાળજી રાખવી જોઈએ.શાળાઓએ,પ્રાર્થના સમયે બાળકોને એકત્રિત કરતા બચવું જોઈએ.શાળાઓએ પણ વાલીઓને પૂર્ણ તકેદારીનો વિશ્વાસ વાલીઓને આપવો પડશે.શરૂઆતમાં શાળાએ બાળકો ઓછા આવશે.પરંતુ ઘીમે-ધીમે શાળાએ અભ્યાસ માટે બાળકો આવતા નિયમિત થઈ જશે.