જો તમે ક્રિડેટ અને ડેબિટ કાર્ડને 16 માર્ચ 2020 સુધી ઓનલાઈન અથવા કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન નહીં કર્યું હોય તો આ સુવિધા બંધ થઈ જશે. આ સુવિધાને ચાલુ રાખવા માટે જરૂરી છે કે, તમારી પાસે રહેલાં દરેક ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી 16 માર્ચ પહેલાં ઓછાંમાં ઓછું એકવાર ઓનલાઈન અને કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન કરી લેવું. આ માટે 15 જાન્યુઆરીએ રિઝર્વ બેંક તરફથી નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું હતું.
ક્રેડિટ અને ડેબિટ કાર્ડધારકો માટે કામના સમાચાર
16 માર્ચ પહેલાં કરી લેજો આ કામ
નહીંતર કાર્ડની આ સુવિધા થઈ જશે બંધ
શું હોય છે કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન?
આ ટેક્નોલોજીની મદદથી કાર્ડ હોલ્ડરને ટ્રાન્ઝેક્શન માટે સ્વાઈપ કરવાની જરૂર હોતી નથી. પોઈન્ટ ઓફ સેલ (POS) મશીનથી કાર્ડ ટચ કરાવવા પર જ પેમેન્ટ થઈ જાય છે. એક દિવસમાં પાંચ કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન કરી શકાય છે. એક ટ્રાન્ઝેક્શનની લિમિટ 2000 રૂપિયા છે. તેમાં રેડિયો ફ્રીકવન્સી આઈન્ડેટિફિકેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે.
ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી પેમેન્ટના વોલ્યૂમ અને વેલ્યૂમાં અનેક ગણો વધારો થયો છે. એવામાં કાર્ડ ટ્રાન્ઝેક્શનને સુરક્ષિત બનાવવા માટે સતત પ્રક્રિયા ચાલી રહી છે. ખાસ કરીને નોટબંધી પછી ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં ઘણો ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે રિઝર્વ બેંકે બેંકોને કહ્યું કે, તેઓ કાર્ડ ટ્રાન્ઝેક્શનમાં સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખે.
16 માર્ચ સુધી આ સુવિધાઓને પણ શરૂ કરવામાં આવશે
ડોમેસ્ટિક, ઈન્ટરનેશનલ, પીઓએસ, ટ્રાન્ઝેક્શન, એટીએમ ટ્રાન્ઝેક્શન લિમિટ ઓન/ઓફ કરવાની સુવિધા
કાર્ડના સ્ટેટસમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થવા પર કાર્ડ હોલ્ડરના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, મેલ આઈડી પર એલર્ટ મોકલવું.