કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર કોર્ટ પર દબાણ કરવાના આરોપ લગાવતાં સ્પષ્ટ કર્યું કે ચૂંટણીમાં દરેક વખતે હારેલા લોકો આવી રીતે રાજનીતિને નિયંત્રણ ન કરી શકે. લોકડાઉન પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉઠાવેલા સવાલ પર રવિપ્રસાદે કહ્યું કે તેમનું તો તેમના મુખ્યમંત્રી પણ સાંભળતા નથી. તેનો મતલબ એ છે કે રાહુલ ગાંધીની વાતમાં કોઇ વજન નથી અથવા તેમની વાતોને મુખ્યમંત્રીઓ ગંભીરતાથી લેતા નથી.
હાલનો સમય એકજૂટતાનો, રાજકારણ તો પછી પણ થઇ શકે છે
એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં રવિશંકર પ્રસાદે કહ્યું કે આ સમય એકજૂટતાનો છે, રાજકારણ તો પછી પણ થઇ શકે છે. પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધીએ લોકડાઉનનો વિરોધ કર્યો. ડોકટરો, કોરોના વોરિયર્સના સન્માનમાં તાળી-થાળી વગાડવાનો વિરોધ કર્યો. દેશમાં દીવા પ્રગટ્યાં, દેશની ઝુપડીઓમાં પણ દીવા પ્રગટયા પરંતુ તેઓને પણ વિરોધ કર્યો.
રાહુલ ગાંધી વજન નથી અથવા ગંભીરતાથી લેવાતી નથી
લોકડાઉનને લઇને રાહુલ ગાંધીના પ્રહાર પર પલટવાર કરતાં રવિશંકર પ્રસાદે કહ્યું કે તેઓની વાત તો તેમના મુખ્યમંત્રી પણ સાંભળતા નથી. કાયદા મંત્રીએ કહ્યું, સવાલ એ છે કે રાહુલ ગાંધીની વાત તેઓના મુખ્યમંત્રી કેમ સાંભળતા નથી ? અમરિંદર સિંહે પંજાબમાં સૌથી પહેલા કર્ફયું લગાવી દીધો. લોકડાઉન લગાવ્યું. રાજસ્થાને પણ આ જ કર્યું. મહારાષ્ટ્રમાં એવું થયું કે ન થયું ? તેઓએ પ્રધાનમંત્રી સાથેની બેઠક પહેલાં જ કહી દીધુ હતું કે 31 મે સુધી અમે વધારી દીધું. અત્યારે દેશવાસીઓએ એક સંકલ્પ સાથે કોરોનાથી લડવાનું છે.
ચૂંટણી હારેલા લોકો કોર્ટનો સહારો લઇને રાજકારણ નિયંત્રિત ન કરી શકે
રવિશંકર પ્રસાદે સ્પષ્ટ કર્યું કે ચૂંટણીમાં હારી ગયેલા લોકો, વારંવાર હરાવામાં આવેલા લોકો કોર્ટનો સહારો લઇને રાજનીતિને નિયંત્રણ નહી કરે. પ્રસાદે કહ્યું કે જે લોકો કોર્ટમાં આવે છે તે એ તો બતાવે કે પોતે શું કર્યું. હું કોઇનું નામ નહીં લઉ પરંતુ તે હકીકત નથી કે આ લોકો ક્યારેક એક પ્રકારનો દબાવની રાજનીતિ કરે છે ? શું આ સત્ય નથી કે આ લોકોએ દેશના એક મુખ્ય જસ્ટિસના ઇમ્પીચમેંટ માટે કાર્યવાહી કરી હતી ? શું સાચુ નથી કે જ્યારે ઉપરાષ્ટ્રપતિના ઇમ્પીચમેંટની અરજી ફગાવી દીધી તો કોંગ્રેસના લોકો કોર્ટમાં ગયા હતા અને ત્યાર બાદ રદ્દ કરી લીધી હતી.
જ્યારે કોર્ટમાંથી મનગમતો ચૂકાદો ન આવે તો કેમ્પેઇન શરૂ કરી દે
કોંગ્રેસ પર કોર્ટ પર દબાણ લાવવાનો આરોપ લગાવતાં કાયદા મંત્રીએ કહ્યું કે ભારતની કોર્ટનુ અમે સન્માન કરીએ છીએ, તેઓએ હસ્તક્ષેપ કરવાનો અધિકાર છે. પરંતુ કોર્ટને ઇમાનદારી અને આઝાદી સાથે કામ કરવા દેવું જોઇએ, દબાણમાં નહીં.
રવિશંકર પ્રસાદે કહ્યું ભાજપના લોકોએ ઇમર્જન્સી સામે સંઘર્ષ કર્યો છે. પ્રસાદે કહ્યું કે અમારુ રાજકારણની વિરાસત ઇમર્જન્સી સામે સંઘર્ષની છે. અમે તેઓને લઇને વિરોધમાં જેલ પણ ગયા છીએ. ત્રણ આઝાદી માટે સંઘર્ષ કર્યો, જનતાની આઝાદી, મીડિયાની આઝાદી અને કોર્ટની આઝાદી માટે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સરકાર શ્રમિકોની પીડા ઓછી કરવાને લઇને દરેક પ્રકારનો પ્રયત્ન કરી રહી છે. પ્રસાદે કહ્યું કે અમારા પ્રવાસી શ્રમિકોની પીડાથી અમે બધા દુઃખી છીએ. હું તો બિહારથી આવ્યો છું, જ્યાં મોટી સંખ્યામાં શ્રમિકો પરત ફર્યાં છે.