અમેરિકાએ દક્ષિણ એશિયાના ત્રણ દેશો માટે ટ્રાવેલ એડવાઝરી જારી કરીને ત્રણ દેશોની યાત્રા ન કરવાની લોકોને અપીલ કરી છે.
જ્યારે જ્યારે પણ નાગરિકો પર જીવનું જોખમ હોય ત્યારે અમેરિકી વિદેશ વિભાગ ટ્રાવેલ એડવાઈઝરી જારી કરતો હોય છે
અમેરિકાને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ભયાનક અને અસુરક્ષિત લાગ્યા
આતંકવાદ અને શસ્ત્ર વિવાદને કારણે અમેરિકી નાગરિકોને લાઈન ઓફ કન્ટ્રોલ નજીક ન જવાની પણ ચેતવણી
અમેરિકામાં બાયડન સરકારના સત્તામાં આવ્યા બાદ પાકિસ્તાનને પહેલો ઝટકો લાગ્યો છે. અમેરિકાએ દક્ષિણ એશિયાના ત્રણ દેશો માટે ટ્રાવેલ એડવાઝરી જારી કરીને ત્રણ દેશોની યાત્રા ન કરવાની લોકોને અપીલ કરી છે. અમેરિકાએ તેના નાગરિકોને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની યાત્રા ન કરવાની સલાહ આપી છે.
ટ્રાવેલ એડવાઈઝરીમાં એવું કહેવામાં આવ્યું કે અમેરિકી નાગરિકોએ કોરોના, આતંકવાદ અને ધાર્મિક હિંસાને કારણે પાકિસ્તાનની યાત્રા ટાળવી જોઈએ. બલોચિસ્તાન અને ખૈબર પખ્તુખવા પ્રાંતની યાત્રા ન કરવાનું પણ પ્રવાસીઓને કહેવાયું છે.
ભારત-પાકિસ્તાન બોર્ડર આતંકીનો અડ્ડો ઃ નાગરિકો આ વિસ્તારમાં જવાનુ ંટાળે
એડવાઝરીમાં આતંકવાદ અને શસ્ત્ર વિવાદને કારણે અમેરિકી નાગરિકોને લાઈન ઓફ કન્ટ્રોલ નજીક ન જવાની પણ ચેતવણી આપી છે. લોકોને ઉદ્દેશીને એડવાઈઝરીમાં કહેવાયું કે ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક ન જશો.આ વિસ્તાર આતંકી ગતિવિધિઓ માટે નામચીન છે. સરહદની બન્ને બાજુએ ભારત અને પાકિસ્તાનના મજબૂત લશ્કરની હાજરી છે અને લાઈન ઓફ કન્ટ્રોલ પર બન્ને દેશોના લશ્કર વચ્ચે સમયાંતરે ગોળીબાર થતો રહેતો હોય છે.
કોવિડન-19 ને કારણે બાંગ્લાદેશનો પ્રવાસ ટાળવાની નાગરિકોને અપીલ કરતા અમેરિકી વિદેશ વિભાગે તેમને ગુનાખોરી, આતંકવાદ અને અપહરણ જેવી ઘટનાઓને કારણે બાંગ્લાદેશમાં વધારે ચેતવણી રાખવાનુ પણ જણાવ્યું છે. બાંગ્લાદેશમાં પણ ગુનાખોરી વકરી રહી હોવાથી અમેરિકી પ્રશાસને નાગરિકોને તેનો પ્રવાસ ન ખેડવાની સલાહ આપી છે.