તમારા જુના પર્સની જગ્યાએ નવા પર્સ આવતા આટલું કરો કામ. કારણ કે જૂનું પર્સ ફેંકવાથી કે તેને બદલવાથી મા લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે.
જૂની વસ્તુ ફેકતા પહેલા રાખો ધ્યાન
જુના પર્સમાં મુકો એક રૂપિયાનો સિક્કો
ખાલી જુનું પર્સ તિજોરીમાં ન મુકો
જુના પાકીટ-પર્સને બદલતી વખતે રાખો આ ખાસ ધ્યાન
ઘણીવાર લોકોને કહેતા સાંભળ્યા હશે કે ફાટેલી વસ્તુઓનો ઉપયોગ કરવાથી નકારાત્મકતા આવે છે. તેથી તેમને સમયસર દૂર કરવી જોઈએ. પરંતુ કેટલીક વસ્તુઓ સાથે તે કરવું ખોટું છે. આમાં તમારા નિયમિત ઉપયોગમાં લેવાતા પર્સનો સમાવેશ થાય છે. આપણે ઘણી વખત લોકોને પર્સ પસંદ કરતા, તેને સંભાળતી વખતે સાવધાની રાખતા જોયા છે. ઘણી વખત કેટલાક પર્સ વ્યક્તિ માટે લકી સાબિત થાય છે. આવી સ્થિતિમાં, તે ફાટી ગયા પછી તેને ફેંકી દેવું યોગ્ય નથી. આવી સ્થિતિમાં જાણો જ્યોતિષ મુજબ જૂના પર્સનું શું કરવું.
ફાટેલા જૂના પર્સનું શું કરવું?
- જો તમારું જૂનું પર્સ ફાટી ગયું છે અથવા તેની હાલત બગડી ગઈ છે અને તમે નવું પર્સ સામે બદલવા માંગો છો, તો જૂના પર્સનો બધો સામાન ખાલી કરીને નવા પર્સમાં મૂકી દો. જૂના પર્સમાં લાલ રંગના કપડામાં 1 રૂપિયાનો સિક્કો મુકો. જે ઉર્જા તમારા જૂના પર્સમાં ઘનને કરતી હતી તે તેમાં બની રહેશે.
- ઘણીવાર લોકોને એવું કહેતા સાંભળવામાં આવ્યા છે કે આ તેમનું લકી પર્સ છે. જો તમારી સાથે પણ આવું જ કંઇક થાય છે, તો તમારા જૂના પર્સને ફેંકી દેવાની ભૂલ ન કરો. આવી સ્થિતિમાં પર્સ પણ ખાલી ન રાખો. આવી સ્થિતિમાં, જૂના પર્સમાં ચોખાના દાણા નાખો. બાદમાં તમે આ ચોખાના દાણાને નવા પર્સમાં મુકી શકો છો. આમ કરવાથી જૂના પર્સની પોઝિટિવ એનર્જી નવા પર્સમાં આવી જશે.
- જો તમને તમારું જૂનું પર્સ તમને ખૂબ જ પસંદ છે, અને તેને દૂર કરવા નથી માંગતા તો તેને લાલ કપડામાં લપેટીને તિજોરીમાં મૂકી દો. તિજોરીમાં પર્સ મૂકતી વખતે ધ્યાન રાખવું કે તે ખાલી ન હોય. પર્સમાં રૂમાલ, ચોખા અને પૈસા રાખો.