બપોરે સુવુ જોઇએ કે નહીં એ વિશે અનેક મતભેદો પ્રવર્તતા હોય છે. જોકે મોર્ડન સાયન્સ માને છે કે રાત્રે ઉંઘ પુરી ન થઇ હોય તો દિવસે તેની ભરપાઇ કરીને મગજને આરામ આપી દેવો. જોકે રોજ બપોરે આ રીતે સુવાની આદત યોગ્ય નથી. રાત્રે મોડા સુધી જાગીને બપોરે સુવુ યોગ્ય નથી.
આયુર્વેદમાં બપોરે વામકુક્ષી લેવાને મહત્ત્વ અપાયું છે. આ વામકુક્ષી એટલે પાવરનેપ.
ઉનાળાની ગરમીમાં બપોરે 15 મિનિટથી લઇને અડધો કલાક સુધીની ઉંઘ યોગ્ય ગણાય છે. ઉનાળાની ધગધગતી બપોરે કોઇ ભારે કામ થઇ શકતુ નથી તેથી બપોરે થોડો સમય આરામ કરીને એનર્જી મેળવી લેવી સારી બાબત ગણાય. જોકે બપોરે બે-ત્રણ કલાક સુવાની આદત કોઇ પણ રીતે યોગ્ય ન જ ગણી શકાય.
કોણ બપોરે સુઇ શકે?
- જે સિનિયર સિટિઝન રિટાયર્ડ હોવા છતાં આખો દિવસ પ્રવૃતિમય રહેતા હોય તેમણે બપોરે સુવામાં કંઇ વાંધો નથી. જોકે
આ પાવરનેપ નાનકડી હોવી જોઇએ. આમ કરવાથી શરીર અને મગજને પુરતો આરામ મળે છે. સાંજનો સમય પ્રફુલ્લિત
રહે છે.
- જે વિદ્યાર્થીઓ કોઇ ખાસ પરીક્ષાની તૈયારી કરતા હોય તેમણે દિવસના અન્ય સમયે સુઇને ઉંઘ પુરી કરવાના બદલે બપોરે
થોડો સમય આરામ કરી લેવો જોઇએ. સવારે કે મોડી સાંજે સુવાથી બોડી સાઇકલ ખોરવાય છે.
- જે વ્યક્તિનો ગુસ્સો હંમેશા નાકના ટેરવે રહેતો હોય. નાની નાની વાતોએ અકળાઇ ઉઠતા હોય તેમણે બપોરે વામકુક્ષિ
લઇને શરીર અને મગજને આરામ આપવો જોઇએ.
- જે વ્યક્તિ મોટી માંદગીમાંથી ઉઠી હોય અથવા કોઇ સર્જરી કરાવી હોય તેના માટે બપોરની 20 મિનિટની ઉંઘ એનર્જાઇઝર
પુરવાર થાય છે. આ લોકોએ બપોરે ચોક્કસથી સુવુ જોઇએ.
- લાંબા સમયનું ટ્રાવેલિંગ કરીને આવ્યા હોય ત્યારે બપોરની નાનકડી ઝપકી તમારી એનર્જી વધારી શકે છે.
કોણે ન બપોરે ન સુવુ જોઇએ?
- મેદસ્વી અથવા કફ પ્રકૃતિ ધરાવતા લોકોએ બપોરે ન સુવું જોઇએ.
- ડાયાબીટીસના દર્દીઓએ પણ બપોરે ન સુવું
- બપોરે બહુ હેવી ભોજન કર્યુ હોય તો એ પછી બપોરે ન જ સુવું જોઇએ.