કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 'દૂર્યોધન' બતાવ્યા પછી આ વિવાદમાં RJD સુપ્રીમો લાલૂ યાદવની પત્ની અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી રહેલા રાબડી દેવીએ પણ કટાક્ષ કર્યો છે. રાબડી દેવીએ કહ્યુ કે, ''PM મોદીને પ્રિયંકા ગાંધીએ દુર્યોધન ગણાવીને ખોટું કર્યુ છે, તેમણે તો મોદીને જલ્લાદ કહેવા જોઇએ.''
પ્રિયંકા ગાંધીના નિવેદન પર રાબડી દેવીએ કહ્યું કે,''તેમણે (પ્રિયંકા) દુર્યોધન કહીને ખોટુ કર્યુ છે. બીજી ભાષા બોલવી જોઇએ એમને. તેઓ દરેક જલ્લાદ છે, જલ્લાદ. જે જજ અને પત્રકારને પણ મારી શકે છે, ઉઠાવી જાય છે. આવા વ્યક્તિતના મન અને વિચાર કેવા હશે, ખૂંખાર હશે.'' નોંધનીય છે કે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી નંબર એક કહેવા પર પ્રિયંકા ગાંધીએ તેમની સરખામણી દુર્યોધન સાથે કરી હતી.
Rabri Devi on Priyanka Gandhi calling PM Modi 'Duryodhana': Unhone Duryodhan bol ke galat kiya hai,doosra bhasha bolna chahiye unko, vo sab to jallad hain, jallad. Jo judge ko aur patrakar ko marwa deta hai, uthwa leta hai. Aise aadmi ka mann aur vichaar kaisa hoga, khoonkar hoga pic.twitter.com/DbIx1ydZ1Q
પ્રિયંકા ગાંધીએ હરિયાણામાં અંબાલામાં રેલી દરમિયાન નામ લીધા વગર જ પીએમ મોદીની સરખામણી દુર્યોધન સાથે કરતા રાષ્ટ્ર કવિ રામધારી સિંહ દિનકરની કાવ્ય પંક્તિનો ઉલ્લેખ કર્યો હતો. પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે, ''ચૂંટણીના પ્રચારમાં બીજેપીના નેતાઓ એ ક્યારેય નથી કહેતા કે તેમણે જે પણ વાયદાઓ કર્યા હતા તે પૂરા થયા કે નહી. કયારેક શહીદોના નામે તો ક્યારેક મારા પરીવારના શહીદ સભ્યોનું અપમાન કરીને વોટ માગે છે, તેમણે મારા શહીદ પિતાનું અપમાન કર્યુ છે.''
ભાજપે પણ કર્યો પલટવાર:
પ્રિયંકા ગાંધીએ એ પણ કહ્યું હતું કે, ચૂંટણી કોઈ એક પરિવાર અંગે નથી. તે દરેક પરિવાર વિશે છે. જેમની આશા આ વડાપ્રધાને સમગ્ર રીતે થોડી નાખી છે. દુર્યોધન સાથે પીએમની સરખામણી પર ભાજપે પણ પલટવાર કર્યો છે. પ્રશ્ચિમ બંગાળની રેલીમાં ભાજપ ચીફ અમિત શાહએ કહ્યુ કે, પ્રિયંકાએ મોદીની તુલના દુર્યોધન સાથે કરી છે. દુર્યોધન કોણ અને અર્જુન કોણ, 23 મેના રોજ સાબિત થઇ જશે.