કેન્દ્ર સરકારે કોરોના વેક્સીનના નામે થતી દગાખોરીથી સચેત રહેવા કહ્યું છે અને સાથે જ ફોન પર ઓટીપી અને આધારની વિગતો ન આપવાની ચેતવણી આપી છે.
કેન્દ્ર સરકારની ચેતવણી
વેક્સિનના નામે આવતા ફોનથી રહો સાવધાન
ફોન પર શૅર ન કરો આધાર અને ઓટીપીની ડિટેલ્સ
દેશણાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશનની શરૂઆત થઈ છે. આ સમયે પહેલાં સ્વાસ્થ્ય કર્મીઓને અને ફ્રન્ટ લાઈન વર્કર્સને વેક્સિન આપવામાં આવી રહી છે. આ પછી સિનિયિર સિટિઝનને વેક્સિન અપાશે. આ માટે કેન્દ્ર સરકારે લોકોને સતર્ક કર્યા છે.
Some #Fraudsters claiming to be from Drug Authority of India are calling senior citizens to confirm their Aadhaar and OTP for #COVID19Vaccine allocation
પીઆઈબીએ ટ્વિટ કરીને કહ્યું છે કે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાથી થનારા દાવા કરનારા પણ કેટલાક લોકો દગાખોર હોય છે, તેઓ સિનિયર સિટિઝનને કોલ કરે છે અને આધાર કાર્ડ, ઓટીપી જેવી જાણકારી માંગી લે છે. આ ફ્રોડ અને દગાખોર લોકોની હરકત હોય છે. જો તમને પણ કોઈ ફોન આવે અને આ ડિટેલ્સ માંગવામાં આવે તો તમે તેને શેર ન કરો તે જરૂરી છે. નહીં તો તમે મોટા નુકસાનમાં ફસાઈ શકો છો.
દુનિયાનું સૌથી મોટું વેક્સીનેશન અભિયાન
કોરોનાની લડાઈમાં વેક્સીનેશનને 16 જાન્યુઆરીથી શરૂ કરાયું છે. આ દુનિયાનં સૌથી મોટું વેક્સીનેશન અભિયાન છે. હજુ સુધી લગભગ 15 લાખ સ્વાસ્થ્ય કર્મીઓને કોરોનાની વેક્સીન અપાઈ છે. કેન્દ્ર સરકારે વરિષ્ઠ નાગરિકોના વેક્સીનેશનને લઈને કોઈ સૂચના આપી નછી. હાલમાં લોકો કોવિન એપ પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ માટે તમારે પાન કાર્ડ, બેંક પાસબુક અને પાસપોર્ટ જેવા ડોક્યૂમેન્ટ્સની જરૂર રહે છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં 24 કલાકમાં 14849 નવા કેસ નોંધાયા છે તો 155 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના કુલ કેસ 1 કરોડ 6 લાખથી વધારે છે. કેસની તપાસની વાત કરાય તો દેશમાં કુલ 19 કરોડ 17 લાખથી વધારે ટેસ્ટ થઈ ચૂક્યા છે.