જેમ કે આપણે બધા જાણીએ છીએ કે ભારતમાં વાસ્તુને ખૂબ મહત્વ આપવામાં આપવામાં આવ્યું છે. વાસ્તુ વિજ્ઞાનિયો અને જ્યોતિષ અનુસાર જો કોઇ વ્ય્કિત વાસ્તુ શાસ્ત્રના નિયમ વગેરેને પોતાની જીવનશૈલીમાં અપનાવે છે તો એના જીવનમાં આવાનારી ગણી બધી પરેશાનીઓનો અંત થઇ જાય છે. વાસ્તુ શાસ્ત્રમાં ઘરથી સંબંધિત ઘણી વાતો માટે કહેવામાં આવ્યું છે એના અનુસાર જો ઘર બનાવતી વખતે વાસ્તુના નિયમોનું ધ્યાન રાખવામાં આવે તો ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહે છે. તો જાણો વાસ્તુ અનુસાર ઘરની છત કેવી હોવી જોઇએ.
વાસ્તુ શાસ્ત્રનું માનીએ તો ઘરની છત પર કોઇ પણ પ્રકારનો ફાલતૂ સામાન રાખવો જોઇએ નહીં. માનવામાં આવે છે કે એનાથી ઘરમાં નેગેટિવ એનર્જી પેદા થાય છે. આ ઉપરાંત પરિવારના સભ્યોની વચ્ચે તણાવ અને મતભેદ પણ થવા લાગે છે.
વાસ્તુ અનુસાર ઘરમાં કાંટા વાળા અને દૂધ નિકળે એવા છોડ લગાવા શુભ માનવામાં આવતા નથી. પરંતુ ગુલાબના છોડને ઘરની છત પર લગાવી શકો છો. પરં્તુ આ વાતનું ધ્યાન રાખો કે એને ઘરના આંગણામાં ક્યારેય પણ લગાવશો નહીં.
મોટાભાગે જોવા મળ્યું છે કે લોકો પોતાના ઘરની છતો પર અનાજ અને કપડાં સૂકવે છે. પરંતુ વાસ્તુનું માનીએ તો આવું કરવાથી પરિવારના સભ્યોના આપસી સંબંધો બગડવા લાગે છે.
ઘરની છત પર ક્યારેય ઝાડૂ રાખવું જોઇએ નહીં. આવું કરવું અશુભ માનવામાં આવે છે. વાસ્તુમાં કહેવામાં આવ્યું છે કે ઘરની છતને હંમેશા સાફ રાખવી જોઇએ કારણ કે જે ઘરની છત ગંદી હોય છે એમના ઘરમાં વધારે સમય સુધી પૈસો ટકી શકતો નથી.