સુતી વખતે લોકો ઘણી વાર માથા નીચે તકિયો તો રાખે છે, પરંતુ તેની પાસે પર્સ, પાણી કે અન્ય વસ્તુઓ પણ રાખે છે. વાસ્તુ પ્રમાણે તકિયાની આસપાસ કેટલીક વસ્તુઓ રાખવાથી ઘરમાં કલેશ વધે છે. તકિયા નીચે રાખેલી આ વસ્તુઓથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે. બેડરૂમ સાથે જોડાયેલા વાસ્તુદોષ દુર કરવા માટે રાતે સુતી વખતે કેટલીક વસ્તુઓ તકિયા પાસે ન રાખવી જોઇએ.
તકિયા પાસે ન રાખો આ વસ્તુઓ
કજીયાનું કારણ વધારે છે વસ્તુઓ
- સુતી વખતે ક્યારેય પણ પાણી ભરેલો ગ્લાસ, લોટો કે બોટલ તમારા માખા પાસે રાખીને ન સુવો. તેનાથી ચંદ્રમા પ્રભાવિત થાય છે અને મનોરોગ ઉત્પન્ન થાય છે.
- સુતી વખતે ક્યારેય માથા પાસે વોલેટ ન રાખવુ જોઇએ. તે તમારા ખર્ચા કારણ વગર વધારે છે. સાથે સાથે ઘરમાં કજિયા કંકાસનુ વાતાવરણ ઉભુ કરે છે. તે આર્થિક હાનિનુ કારણ પણ બને છે. સુતા પહેલા તમારુ પર્સ યોગ્ય જગ્યાએ રાખી દો
- વાસ્તુ અનુસાર રાતે સુતી વખતે દવાઓ પણ સાથે ન રાખવી જોઇએ. તેની આરોગ્ય પર ખરાબ અસર પડે છે. તેથી ભુલથી પણ દવાઓ નજીક ન રાખો
- કેટલાક લોકો જુતા અને ચંપલ બેડ પાસે રાખી દેતા હોય છે. જેથી બાથરુમ જતી વખતે તેમને પ્રોબલેમ ન થાય. તેનાથી ઘરમા નેગેટીવ એનર્જી આવે છે. ક્યારેય પણ પથારીની આસપાસ ચંપલ ન રાખો.
- ક્યારેય ઘરની કે ગાડીની ચાવી, ઓફિસની ચાવી સાથે લઇને ન સુવો. આમ કરવાથી પૈસાનો પ્રોબલેમ થઇ શકે છે.
- તેલ મસાજ કર્યા બાદ તેલની બોટલ માથા પાસે ન રાખો, વાસ્તુ મુજબ આ કારણે ઘણી મુસીબતોનો સામનો કરવો પડે છે.
- વાસ્તુમાં ઇલેકટ્રીક સાધનો જેમ કે ઘડિયાળ, ફોન, લેપટોપ, ટીવી, વિડિયો ગેમને સ્વચાલિત માનવામાં આવે છે. તે હંમેશા ચાલતા રહે છે, તેથી તેને સાથે લઇને ન સુવો. તેનાથી રાહુદોષ ઉત્પન્ન થાય છે.
- બેડની સામે અરીસો પણ ન હોવો જોઇએ. તેના કારણે રોગ ઉત્પન્ન થાય છે અને પતિ પત્નીના સંબંધો પણ બગડે છે.