બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આ દિવસે શરૂ થશે અગ્નિ પંચક, ભૂલથી પણ ન કરતાં આ કામો, નહીંતર આફતો ઘેરી વળશે

પંચક 2025 / આ દિવસે શરૂ થશે અગ્નિ પંચક, ભૂલથી પણ ન કરતાં આ કામો, નહીંતર આફતો ઘેરી વળશે

Last Updated: 07:53 AM, 16 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દર મહિને પાંચ દિવસો એવા હોય છે જે અત્યંત અશુભ માનવામાં આવે છે. આ દિવસે કોઈ પણ કાર્યો કરવા વર્જિત છે કારણ કે પંચક કાળ અશુભ પ્રભાવ પાડે છે અને જેના કારણે નકારાત્મક પરિણામ આવી શકે છે.

સનાતન ધર્મમાં અગ્નિ પંચકને અશુભ માનવામાં આવે છે. આ પંચકમાં કોઈ પણ કાર્ય કરવું અશુભ માનવામાં આવે છે. ત્યારે ચાલો જેની લે અગ્નિ પંચક ક્યારે શરૂ થાય છે અને આ દિવસો દરમિયાન શું શું ના કરવું જોઈએ?

પંચક કેવી રીતે લાગે?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પંચકની શરૂઆત ત્યારે થાય છે જ્યારે ચંદ્ર ધનિષ્ઠા, શતભિષા, પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ અને રેવતી નક્ષત્રોમાં પ્રવેશ કરે છે. આ સમયગાળો કુલ પાંચ દિવસનો હોય છે. પંચકના ઘણા પ્રકાર છે. આ વખતે ફેબ્રુઆરી મહિનામાં આવનાર પંચકને અગ્નિ પંચક કહેવામાં આવશે જે અત્યંત અશુભ માનવામાં આવે છે.

અગ્નિ પંચકનો પ્રભાવ

જ્યોતિષીઓના મતે અગ્નિ પંચક દરમિયાન આગ લાગવાની ઘટનાઓ વધુ બને છે. તેથી આ સમયે ખાસ સાવધાની રાખવી જોઈએ અને આગ સંબંધિત કોઈપણ પ્રવૃત્તિ ટાળવી જોઈએ.

પંચકનો સમય

ઋષિકેશ પંચાંગ મુજબ આ વર્ષે ફેબ્રુઆરીમાં પંચક 27 ફેબ્રુઆરીએ સાંજે 4:27 વાગ્યે શરૂ થશે. અને 3 માર્ચે સાંજે 6:39 વાગ્યે સમાપ્ત થશે. આ દરમિયાન કેટલાક કાર્યો ટાળવા જોઈએ.

પંચક દરમિયાન શું ન કરવું?

જો તમે નવું ઘર બનાવી રહ્યા છો તો પંચક દરમિયાન છત ના બનાવો તેની નકારાત્મક અસર થઈ શકે છે. પંચક દરમિયાન કોઈપણ નવું કાર્ય શરૂ કરવું અશુભ છે. દક્ષિણ દિશાને યમ દિશા માનવામાં આવે છે તેથી પંચક દરમિયાન દક્ષિણ દિશામાં મુસાફરી કરવાથી અકસ્માતની શક્યતા વધી જાય છે. પંચકમાં ખાસ કરીને અગ્નિ પંચકમાં લગ્ન, ગૃહસ્થી અને અન્ય શુભ કાર્યો ન કરવા જોઈએ.

વધુ વાંચો: આજનો દિવસ ઉતાર-ચઢાવ ભર્યો, આ જન્મતારીખ વાળા લોકોને અચાનક ધનલાભના સંકેત

પંચકમાં શું કરવું?

શાસ્ત્રો અનુસાર પંચક દરમિયાન ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની પૂજા કરવી જોઈએ જેથી પંચકની અસર પછી થાય અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Agni Panchak Kal Nakshatra Transition Dharma Agni Panchak Kal,
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ