પ્રેમલગ્ન વખતે સાક્ષી તરીકે વર-કન્યાના માતા-પિતાની સહી ફરજીયાત હોવી જોઈએ. માતા-પિતાની પરવાનગી વિના થતા લગ્નો કરૂણાંતિકામાં પરિણમે છે. લવ મેરેજ રજિસ્ટ્રેશન માટેના કાયદામાં ફેરફાર કરવાની જરૂર છે.
થોડી સ્થિતિ સુધરી છે પણ દીકરીનો જન્મ એ માતા પર ફીટકારની ઘટના બની જાય છે, અને દીકરાનો જન્મ થાય તો ગામમાં પેડા વહેંચાય છે, અને સુખી ઘરમાં દીકરાનો જન્મ થાય તો હવે વિમાનોમાં બેસીને પાર્ટી કરવા ગોવા અને માલદીવ પણ જવાય છે. જ્યારે કે દીકરી જન્મે કે દીકરો જન્મે, બન્ને સ્થિતિમાં જવાબદાર માત્ર અને માત્ર પુરુષ જ હોય છે. નવી શિક્ષણ નીતિ આવી રહી છે, આપણે અપેક્ષા એ રાખીશું કે છેવટે શાળાએ પહોંચનાર દરેક નાગરિક એ વાતને સમજે કે આપણાં જીવનમાં દીકરી, માતા, બહેનની ભૂમિકા છે શું.
દીકરીને વ્હાલનો દરિયો તો કહીએ છીએ, પણ જેવી એની સમજ વધે, પોતાની જાતે નિર્ણય કરતી થાય, યુવાનીમાં પગ મુકે તો પરિવારમાં દીકરા અને દીકરીનો ભેદ કરીએ જ છીએ. જે કામ દીકરી કરે એને સમાજ મૃત્યુદંડની સજા કરવા ઈચ્છે છે પણ એ જ કામ જો દીકરો કરે તો જાણે નવો સેટેલાઈટ લોંચ કર્યો અને માનવ જિંદગીને બદલી નાખી હોય એવી રીતે નવાઝીએ છીએ. એકને મૃત્યુદંડ અને બીજાને નવાઝવાની વાત આપણે પ્રેમલગ્નના સંદર્ભમાં સમજવાની જરૂર છે. દીકરીઓના પ્રેમલગ્ન અને મા-બાપના રાજીપા વિશે હવે ધારાસભ્યો બોલી રહ્યાં છે એટલે સવાલ થાય કે દીકરીના પ્રેમલગ્ન સામે વાંધો છે તો દીકરા સામે કેમ નથી, મા-બાપની મંજૂરી વિના લગ્ન કરતી દીકરીઓ પર, સમાજની પાબંદીઓ પણ ક્યાં ટકી છે અને દીકરીઓને ભોળવતા દીકરાઓ અને અસમાજિક તત્વોનો કોઈ રસ્તો ન થાય,
પ્રેમલગ્ન વખતે સાક્ષી તરીકે વર-કન્યાના માતા-પિતાની સહી ફરજિયાત હોવી જોઇએ
માતા-પિતાની પરવાનગી વિના થતા લગ્નો કરૂણાંતિકામાં પરિણમે છે
સહમતી વિના થતા લગ્નને કારણે રાજ્યમાં વધે છે ક્રાઈમ
લવ મેરેજ રજિસ્ટ્રેશન માટેના કાયદામાં ફેરફાર કરવાની જરૂર
માતા-પિતાની સહીનો કાયદો આવવાથી સામાજિક રીતે ફાયદો થશે
પ્રેમલગ્ન મુદ્દે ધારાસભ્યોએ શું માગ કરી?
પ્રેમલગ્ન વખતે સાક્ષી તરીકે વર-કન્યાના માતા-પિતાની સહી ફરજીયાત હોવી જોઈએ.માતા-પિતાની પરવાનગી વિના થતા લગ્નો કરૂણાંતિકામાં પરિણમે છે. ત્યારે સહમતી વિના થતા લગ્નને કારણે રાજ્યમાં ક્રાઈમ વધે છે. પ્રેમલગ્નમાં માતા-પિતાની સહી લેવાનો નિયમ ફરજિયાત કરવો જોઇએ. લવ મેરેજ રજિસ્ટ્રેશન માટેના કાયદામાં ફેરફાર કરવાની જરૂર છે. માતા-પિતાની સહીનો કાયદો આવવાથી સામાજિક રીતે ફાયદો થશે.
ધારાસભ્યોએ સામાજિક મુદ્દાઓને વિધાનસભામાં રજૂ કર્યા હતા
લવ મેરેજ રજિસ્ટ્રેશન માટેના કાયદામાં પણ ફેરફાર કરવાના સૂચનો કર્યા હતા
પ્રેમલગ્નનો કાયદો બનાવવાથી સામાજિક રીતે ફાયદો થશે
કાલોલના MLA ફતેસિંહ ચૌહાણે શું માગ કરી?
પ્રેમલગ્રમાં માતા-પિતાની સહી લેવાનો નિયમ ફરજિયાત કરવો જોઈએ. આ બાબતે ધારાસભ્યોએ સામાજિક મુદ્દાઓને વિધાનસભામાં રજૂ કર્યા હતા. જેમાં લવ મેરેજ રજિસ્ટ્રેશન માટેના કાયદામાં પણ ફેરફાર કરવાના સૂચનો કર્યા હતા. ત્યારે પ્રેમલગ્નનો અંજામ કરૂણ આવતો હોય છે. પ્રેમલગ્નનો કાયદો બનાવવાથી સામાજિક રીતે ફાયદો થશે .
પ્રેમ-પ્રકરણમાં લલચાવીને કેટલાક અસામાજિક તત્વો કરે છે લગ્ન
અણસમજને કારણે દીકરીઓ ઉતાવળમાં પ્રેમલગ્ન કરે છે
પ્રેમલગ્ન કર્યા બાદ દીકરીઓને છેતરપિંડીનો ખ્યાલ આવે છે
પ્રેમલગ્ન માટે કાયદો કેમ?
અમુક તત્વો દીકરીને લલચાવીને લગ્ન કરે છે. ત્યારે પ્રેમ-પ્રકરણમાં લલચાવીને કેટલાક અસામાજિક તત્વો લગ્ન કરે છે. અણસમજને કારણે દીકરીઓ ઉતાવળમાં પ્રેમલગ્ન કરી લે છે. પરંતું પ્રેમલગ્ન કર્યા બાદ દીકરીઓને છેતરપિંડીનો ખ્યાલ આવે છે. પરંતું પ્રેમલગ્ન કરનારાને કોઈ પક્ષ સ્વીકારતો નથી.
વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પ્રેમલગ્નના કાયદાની કરી હતી માગ
માતા-પિતાની સહમતીથી પ્રેમલગ્ન થવા જોઈએ
સાક્ષીની હાજરીમાં લગ્નની નોંધણી થવી જોઈએ
વાવના MLA ગેનીબેન ઠાકોરે શું કહ્યું?
વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પ્રેમલગ્નના કાયદાની માંગ કરી હતી. તાત્કાલિન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખ્યો હતો કે અમે પ્રેમલગ્નના વિરોધી નથી. માતા-પિતાની સહમતીથી પ્રેમલગ્ન થવા જોઈએ. દીકરીના ગામમાં થવી જોઈએ લગ્નની નોંધણી. સાક્ષીની હાજરીમાં લગ્નની નોંધણી થવી જોઈએ.
હિન્દુઓ માટે હિન્દુ લગ્ન ધારો 1955
મુસ્લિમો માટે મુસ્લિમ લૉ
ખ્રિસ્તીઓ માટે ક્રિશ્વિયન લગ્ન ધારો 1872
પારસીઓ માટે પારસી લગ્ન ધારો
આ દરેક લગ્ન ધારાનું જે તે ધર્મ પ્રમાણે લગ્નની શરતો મૂકવામાં આવી છે
1954માં સ્પેશિયલ મેરેજ એક્ટ પણ ઘડવામાં આવ્યો જેનો હેતુ ધર્મ નિરપેક્ષ લગ્ન
આ કાયદા હેઠળ થયેલા લગ્નને સિવિલ મેરેજ અથવા રજિસ્ટર્ડ મેરેજ કહેવામાં આવે છે
ભારતમાં લગ્નને લગતી બંધારણીય સ્વતંત્રતા
વિશ્વમાં ભારત એવો દેશ છે જ્યાં સાંસ્કૃતિક વારસો,વિવિધ ધર્મ,વિચારધારા એક અનોખું સ્થાન ધરાવે છે. લગ્ન,છુટાછેડા,વારસો,દત્તક,ભરણપોષણને લગતી બાબતો અંગે નાગરિકને ધર્મ અનુસાર કાયદાનો અમલ કરવાની છૂટ છે. પરંતું લગ્ન બાબતે પણ જુદા-જુદા ધર્મ પર આધારિત જુદા-જુદા કાયદાઓ અને નિયમો છે. હિન્દુઓ માટે હિન્દુ લગ્ન ધારો 1955, મુસ્લિમો માટે મુસ્લિમ લૉ, ખ્રિસ્તીઓ માટે ક્રિશ્વિયન લગ્ન ધારો 1872 , પારસીઓ માટે પારસી લગ્ન ધારો. આ દરેક લગ્ન ધારાનું જે તે ધર્મ પ્રમાણે લગ્નની શરતો મૂકવામાં આવી છે. 1954માં સ્પેશિયલ મેરેજ એક્ટ પણ ઘડવામાં આવ્યો જેનો હેતુ ધર્મ નિરપેક્ષ લગ્ન. આ કાયદા હેઠળ થયેલા લગ્નને સિવિલ મેરેજ અથવા રજિસ્ટર્ડ મેરેજ કહેવામાં આવે છે.
ભારતીય સમાજમાં લગ્નની સ્થિતિ શું?
આપણા સમાજમાં હવે લગ્ન એક અનુકૂળ બંધન તરીકે ગણાવા માંડ્યું છે. અસંખ્ય ગુનાઓ લગ્નને લગતા નોંધાય છે તેનો પુરાવો છે. આધુનિકતાના નામે વ્યભિચાર સરેઆમ ચાલે છે. ન તો વ્યક્તિ કોર્ટમાં જઇ શકે અને ન તો સમાજ આ અણછાજતું પાસું રોકી શકે છે. દરેક ગુનો પુરવાર થવા માટે પુરાવો માગે છે. સ્ત્રીએના ગુનાઓમાં પુરાવા એકઠા કરીને કેસ કરીને રજૂ કરી શકતી નથી,તેથી ગુનો પુરવાર થતો નથી. એક બાજુ લગ્નને તકલીફ કરતાં બધાં જ પાસાં માટે કે ગુના માટે એક કલમ છે. ભારતની નારી ભાગ્યે જ આ કલમનો ઉપયોગ કરી શકી છે. જે કરે છે તે ક્યાંક ને ક્યાંક કાયદાની આંટીઘૂંટીમાં જ રહી જાય છે. છેવટે લગ્ન વેરવિખેર થઇ જાય છે.
લગ્નની વ્યવસ્થામાં જો કોઇ ગુનો બને તો તે માટે ભારતીય ફોજદારી ધારો લાગુ છે
પ્રકરણ 20માં લગ્ન સંદર્ભે થતા ગુનાઓનો સમાવેશ કરવામાં આવ્યા છે
કલમ 493થી 498એ લગ્નસંબંધિત ગુનાઓની જોગવાઇ કરવામાં આવી છે
ભારતમાં લગ્નની વ્યવસ્થામાં કાયદાકીય રક્ષણ
લગ્નની વ્યવસ્થામાં જો કોઇ ગુનો બને તો તે માટે ભારતીય ફોજદારી ધારો લાગુ છે. સ્ત્રીને લગ્નમાં કે લગ્નને લીધે થતાં તેની સામેના ગુના માટે ભારતીય ફોજદારી ધારામાં એક ખાસ પ્રકરણ મૂકાયું છે. પ્રકરણ 20માં લગ્ન સંદર્ભે થતા ગુનાઓનો સમાવેશ કરવામાં આવ્યા છે. કલમ 493થી 498એ લગ્નસંબંધિત ગુનાઓની જોગવાઇ કરવામાં આવી છે. કાયદાના ઘડવૈયાઓએ ચોક્કસ ઉંડાણપૂર્વક વિચારવિમર્શ કરી આ જોગવાઇઓ સ્ત્રીના રક્ષણાર્થે બનાવેલી છે.
ગુજરાતમાં લવ જેહાદ માટે રુપાણી સરકારે કાયદો બનાવ્યો હતો
આ ગુનામાં મદદ કરનારાને પણ સમાન પ્રકારે દોષિત ગણવામાં આવશે
આ કાયદા હેઠળ ગુનેગારને 4થી 7 વર્ષની કેદ ઉપરાંત 3 લાખ સુધીનો દંડ થશે
ગુજરાતમાં લવ જેહાદ માટે શું છે કાયદો?
ગુજરાતમાં લવ જેહાદ માટે રુપાણી સરકારે કાયદો બનાવ્યો હતો. માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કરાયેલાં લગ્ન ફેમીલી કોર્ટ અથવા ન્યાયક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્વારા રદ કરવામાં આવશે . કોઇપણ વ્યક્તિ કપટ,બળપૂર્વક અથવા લાલચ આપી લગ્ન કરાવી ધર્મ પરિવર્તન કરાવી શકશે નહીં . આ ગુનામાં મદદ કરનારાને પણ સમાન પ્રકારે દોષિત ગણવામાં આવશે. આ કાયદા હેઠળ ગુનેગારને 4થી 7 વર્ષની કેદ ઉપરાંત 3 લાખ સુધીનો દંડ થશે.
મિલકતો પચાવવા માટે પણ થાય છે પ્રયાસો
આપણી દીકરીઓ પાસે કેસ કરાવે છે
લવ જેહાદ કરે છે, પછી કોર્ટ મેરેજ કરે છે
84 કડવા પાટીદાર સમાજના પ્રમુખે શું કહ્યું હતું?
સારા ઘરની દીકરીઓને કેટલાક અસામાજિક યુવકો ભગાડી જાય છે. મિલકતો પચાવવા માટે પણ પ્રયાસો થાય છે. મહેસૂલ વિભાગમાં અનેક કેસ પડતર પડ્યા છે. આપણી દીકરીઓ પાસે કેસ કરાવે છે. અનેક સારા પરિવારોને નીચુ જોવાનું થાય છે. લવ જેહાદ કરે છે, પછી કોર્ટ મેરેજ કરે છે . પ્રેમલગ્ન કરતી દીકરીઓ માટે કડક નિર્ણય લેવાશે. લગ્નમાં નોંધણી વખતે માતા-પિતાની સહી ફરજિયાત કરવા રજૂઆત કરી છે. દીકરી સહીની સંમતિ ન આપે તો મિલકતમાંથી નામ કમી કરવા માગ. તેમજ તમામ સમાજને સાથે લઇ રજૂઆત કરવી છે. આપણે રજૂઆત કરી કાયદામાં ફેરફાર કરાવવો છે. બધા સમાજો આ તકલીફથી પીડાય છે. તમામ જ્ઞાતિ જાતિના લોકો આપણી સાથે આવે છે.
છેલ્લા 4 વર્ષથી અમે આ કાયદા માટે લડત ચલાવી રહ્યા છીએ
આજે દરેક સમાજમાં આ સમસ્યા છે
SPG પ્રેમલગ્નનો વિરોધ નથી કરતું
કાયદાની આડમાં દીકરીઓને છેતરતા લોકો સામે પગલાં લેવા અમારી માગ
લાલજી પટેલે શું કહ્યું હતું?
છેલ્લા 4 વર્ષથી અમે આ કાયદા માટે લડત ચલાવી રહ્યા છીએ. આજે દરેક સમાજમાં આ સમસ્યા છે. દીકરીને ભણાવી ગણાવીને તૈયાર કરાયા બાદ અસામાજિક તત્વો તેમને ભગાડી જતા હોય છે. દરેક સમાજના રીતિ-રિવાજો અલગ-અલગ હોય છે. બાદમાં લગ્ન વિચ્છેદની સ્થિતિમાં દીકરીની હાલત દયનીય હોય છે. દીકરી ના ઘરે આવી શકે કે ના સાસરી પક્ષમાં રહી શકે પરિણામે આત્મહત્યા તરફ પ્રેરાય છે. સરકારે પણ આ બાબતે યોગ્ય કાયદો બનાવવો જોઇએ. SPG પ્રેમલગ્નનો વિરોધ કરતું નથી. કાયદાની આડમાં દીકરીઓને છેતરતા લોકો સામે પગલાં લેવા અમારી માગ