કોરોના વાયરસના પ્રકોપ અને લોકડાઉનના કારણે દેશના ઘણા સેકટરમાં તેનો પ્રભાવ જોવા મળ્યો છે. જ્યારે તેમાંથી કેટલાક સેકટરતો સરકાર પાસે મદદ માંગી રહી છે. આ બધી પરિસ્થિતિઓ વચ્ચે હિરો સાયકલના MD પંકજ મુંજાલનું મોટુ નિવેદન આવ્યું છે. પંકજ મુંજાલે કહ્યું છે કે અમારે સરકાર પાસેથી કોઇ મદદની જરૂર નથી. અમે એક દેવુ મુક્ત કંપની છે. પંકજ મુંજાલ ઇન્ડસ્ટ્રીઝના પહેલા એવા મોટા વેપારી છે જેમણે કોરોના સંકટ દરમિયાન આટલું મોટું નિવેદન આપ્યું છે.
પંકજ મુંજાલનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે લોકડાઉનના કારણે ઓટો ઇન્ડસ્ટ્રીઝમાં મોટા નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે વાહન બનાવનારી સંગઠન સોસાયટી ઓફ ઇંડિયન ઓટોમોબાઇલ મેન્યુફેકચર્સ (સિયામ) દ્વારા ગત દિવસોમં અનુમાન લગાવામાં આવ્યું હતું કે લોકડઉનમાં સેકટરની કંપનીઓને દરેક દિવસ 2300 કરોડ રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. સિયામ તરફથી સરકાર પાસે મદદની અપીલ પણ કરવામાં આવી હતી.
શું કહ્યું પંકજ મુંજાલે?
પંકજ મુંજાલે એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે હીરો સાઇકલ અને હીરો મોટર્સને કોઇપણ પ્રકારની મદદની જરૂરિયાત નથી. તેમ છતાં પંકજ મુંજાલે સરકાર પાસેથી આશા છે કે તેઓ હવે ગુડઝ એન્ડ સર્વિસિઝ ટેક્સ એટલે કે GST ને 12 ટકાથી ઘટાડીને 5 ટકા સુધી કરી દે.
પંકજ મુંજાલે કહ્યું કે ઇ-બાઇક પર પર 5 ટકાનું GST સાચુ છે પરંતુ દેશમાં અંદાજે લગભગ 50 કરોડ લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું હોવા છતાં સાઇકલ પર સૌથી વધારે ટેકસ લગાવામાં આવે છે. જેના પર રાહતની જરૂરિયાત છે.
SME ને મદદ કરે સરકાર
પંકજ મુંજાલના જણાવ્યાં અનુસાર GST 5 ટકા થવા પર સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (SME) સેકટરને ગતિ મળશે. આ સેકટર દેશની કરોડરજ્જૂ સમાન છે. મુંજાલે કહ્યું કે SME ને હાલ સરકારની મદદની જરૂર છે કારણ કે લોકડાઉના કારે હાલ ભારે મુશ્કેલીમાં છે.
જો કે હીરો મોટર્સ અને હીરો સાઇકલ પોતાના વેંડર અને સપ્લાયર્સની મદદ કરી રહ્યું છે. હાલમાં કંપની અંદાજે 160 SME ના સંપર્કમાં છે. તેઓને એડવાન્સ પેમેન્ટની રજૂઆત કરવામાં આવી છે.