લક્ષ્મીજીની પૂજામાં ભૂલો થાય છે તો તે ગુસ્સે થઈ શકે છે. ચાલો જાણીએ મા લક્ષ્મીની પૂજામાં કઈ ભૂલો ન કરવી જોઈએ.
મા લક્ષ્મીની પૂજા માટે કેટલાક નિયમો છે
જો લક્ષ્મીજીની પૂજામાં ભૂલો થાય છે તો તે ગુસ્સે થઈ શકે છે
તુલસીજીને મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે
ધનની દેવી મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ધર્મ, જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર વગેરેમાં અનેક ઉપાયો બતાવવામાં આવ્યા છે. આ માટે મા લક્ષ્મીની પૂજાના અને અનેક પ્રકારના ઉપાય પણ સામેલ છે. આ ઉપાયોની સાથે સાથે જ મા લક્ષ્મીની પૂજા માટે કેટલાક નિયમો પણ જણાવવામાં આવ્યા છે. જો લક્ષ્મીજીની પૂજામાં ભૂલો થાય છે તો તે ગુસ્સે થઈ શકે છે. ચાલો જાણીએ મા લક્ષ્મીની પૂજામાં કઈ ભૂલો ન કરવી જોઈએ.
- તુલસીજીને મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે પણ મા લક્ષ્મીની પૂજામાં તુલસીનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. લક્ષ્મીજીની પૂજામાં તુલસીનો ઉપયોગ કરવાથી તેઓ ક્રોધિત થઈ શકે છે.
- મા લક્ષ્મીને ક્યારેય પણ સફેદ ફૂલ અર્પણ ન કરવા જોઈએ, લક્ષ્મીજીને લાલ રંગના ફૂલો ગમે છે. જો તમે મા લક્ષ્મીને ખુશ કરીને એમની કૃપા મેળવવા માંગતા હોવ તો તેમની પૂજામાં હંમેશા લાલ ફૂલ ચઢાવો.
- કમળ પર બિરાજમાન લક્ષ્મીજીની પૂજા કરવી સૌથી શુભ માનવામાં આવે છે અને આ સાથે જ જો લક્ષ્મીજીના તસવીરમાં બંને બાજુ હાથી હોય તો આવી તસવીરની પૂજા કરવી શુભ માનવામાં આવે છે.પણ આ સિવાય ઘુવડ પર સવાર લક્ષ્મીજીની પૂજા ક્યારેય ન કરવી જોઈએ.
- લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે એમની સાથે સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવી જોઈએ. એટલા માટે ખાસ શુક્રવારના દિવસે લક્ષ્મી-નારાયણની પૂજા કરવી જોઈએ.
- લક્ષ્મીજીને ઝડપી રીતે પ્રસન્ન કરવા માટે એમની પૂજામાં પ્રગટાવવામાં આવેલ દીવામાં લાલ રંગની બત્તી લગાવો. અને ખાસ કરીને લક્ષ્મીજી ની પૂજા પછી એમની મૂર્તિ કે તસવીરની જમણી બાજુ દીવો રાખવો જોઈએ. તેનાથી મા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થશે.