આજે સોમવારનાં દિવસે ભગવાન શિવને વ્રત રાખીને પ્રસન્ન કરી શકાય છે. જાણો આ દિવસે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
સોમવાર એટલે ભગવાન શિવનો વાર
આ દિવસે વ્રત રાખીને શિવજીને પ્રસન્ન કરી શકાય છે
સાચા મનથી પૂજા કરવાથી સફળતા પ્રાપ્ત થાય છે
સોમવાર એટલે ભગવાન શિવનો વાર
હિંદુ ધર્મમાં અઠવાડિયાનાં સાતેય દિવસો કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત હોય છે. અઠવાડિયાનો પહેલો દિવસ એટલે કે સોમવાર ભગવાન શિવની આરાધના કરવા માટેનો દિવસ છે. આ દિવસે ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવે છે અને વ્રત રાખવામાં આવે છે. ભક્તોની ભક્તિથી પ્રસન્ન થઈને ભેલેનાથ તેમને મનપસંદ વરદાન આપે છે. આ દિવસે અમુક બાબતો નું ધ્યાન રાખવું જોઈએ. આ બાબતોનું ધ્યાન રાખવાથી ભોલેનાથ બધા કાર્યોમાં સફળતાનાં આશીર્વાદ આપે છે.
સોમવારે સવારે સ્નાન કરીને શિવ મંદિર જાઓ અને શિવલિંગ કે પ્રતિમાની પૂજા કરતા કરતા સંકલ્પ કરો. ઘર પર પણ અગરબત્તી, દીવો વગેરે કરીને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો. શિવજીની પૂજા અને આરતી કર્યા બાદ દક્ષિણા, વસ્ત્ર, અન્ન વગેરે દાન કરો. માન્યતા છે કે દાન કરવાથી મનપસંદ ફળ મળે છે.
જાણો સોમવારના વ્રતનાં પ્રકાર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સોમવારનાં વ્રત ત્રણ પ્રકારે રાખવામાં આવે છે.
પ્રતી સોમવાર વ્રત પૂજા
સોમ પ્રદોષ વ્રત પૂજા
સોળ સોમવાર વ્રત પૂજા
સોમવારનાં દિવસે વ્રત પૂજામાં રાખો આ બાબતોનું ધ્યાન
માન્યતા છે કે સોમવારે તાંબાનાં લોટામાં દૂધ લઈને શિવલિંગનો અભિષેક ન કરવો જોઈએ. તાંબામાં દૂધ લેવાથી તે સંક્રમિત થઇ જાય છે.
સોમવારે ભગવાન શિવની શિવલિંગ પર ચંદનનો લેપ જ લગાવો. ભૂલથી પણ રોલી કે સિંદૂરનો લેપ ન લો.
શિવલિંગની પરિક્રમાનાં સમયે પણ ધ્યાન રાખો કે તેને પૂર્ણ ન કરો. જ્યાંથી પાણી વહી રહ્યું છે, ત્યાંથી જ પાછા ફરી જાઓ.
સોમવારનું વ્રત રાખનાર વ્યક્તિએ કોઈપણ સફેદ વસ્તુનું દાન કરવાથી બચવું જોઈએ. ખાંડ પણ સફેદ રંગની હોવાને કારણે સોમવારે ખાંડનો પ્રયોગ ન કરો.
પૂજા દરમિયાન ભૂલથી પણ નારીયળનો પ્રયોગ કે પાછો નારીયળ પાણીનો પ્રયોગ ન કરો.
સોમવારે તુલસી દળનો પણ ઉપયોગ વર્જિત છે.
આ દિવસે વ્રત રાખનારે કેસરી, પીળા કે પછી લાલ રંગના જ વસ્ત્રો ધારણ કરવા જોઈએ.
સોમવારે પૂજાનાં સમયે કાળા રંગનો ભૂલથી પણ પ્રયોગ ન કરવો જોઈએ.