રવિવારનો દિવસ સૂર્ય દેવનો હોય છે આ દિવસે સૂર્ય દેવની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે સૂર્ય દેવની પૂજા કરનાર વ્યક્તિને સમાજમાં માન-મર્યાદા અને યશની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં સૂર્ય દેવની પૂજા કરવાથી કુંડલીના દોષો દૂર થાય છે.
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સૂર્ય દેવની પૂજામાં જો કોઈ ભૂલ થાય તો સૂર્ય દેવ નારાજ થઇ જાય છે અને ધનોત-પનોત કાઢી નાખે છે. સૂર્ય દેવની પૂજા કરતા સમયે લાલ પુષ્પ લાલ ચંદન અને ચોખા અર્પણ કરવા શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે સૂર્ય દેવને આ બધું અર્પણ કરતા ખુબ જ કાળજી રાખવી અને કઈ ભૂલ ન થવા દેવી.
સૂર્ય દેવતાને જળ ચડાવતી વખતે ખુબ જ કાળજી રાખવી જોઈએ. જેમ જે તમે જે જળ સૂર્ય દેવને ચડાવવા જઈ રહ્યા છો તેના છાંટા તમારાપગ પર ન પાડવા જોઈએ. તમે જે જળ સૂર્ય દેવને ચડાવવા જઈ રહ્યા છો તેમાં બની શકે તો ચંદન ઉમેરવું જોઈએ.
સૂર્ય દેવને રીઝવવા માટે રવિવારે સવારમાં જલ્દી ઉઠીને સ્નાન કરી મંદિરમાં જવું જોઈએ. ત્યારબાદ તમે ઘરમાં પણ સૂર્ય દેવને જળ ચડાવી શકો છો.આમ કરવાથી જે તે વ્યક્તિની કુંડળીમાંથી વ્યાપ્ત દોષ નાબૂદ થઇ જાય છે. ખાસ ધ્યાન રાખવું કે સૂર્ય દેવને જળ સ્નાન કરીને પછી જ ચડાવવું જોઈએ.
સૂર્ય દેવને જળ ચડાવતી વખતે ચાંદી કે કાચના પાત્રનો ઉપાયોગ ક્યારેય ન કરવો જોઈએ જળ ચડાવતી વખતે માત્રને માત્ર તાંબાના પાત્રનો જ ઉપયોગ કરવો જોઈએ. સૂર્ય દેવને પૂર્વ દિશામાં ઉભા રહીને જળ ચડાવવું કોઈ દિવસ ખાસ ચોમાસામાં જો સૂર્ય ન દેખાય તો પણ પૂર્વ દિશામાં જોઈને જળ ચડાવવું જોઈએ.
સૂર્ય દેવને જળ ચડાવતી વખતે ખાસ આ મંત્રનો જાપ કરવો જોઈએ: स्मरामि खलु तत्सवितुर्वरेण्यम् रूपं हि मण्डलमृचोथ तनुर्यजूंषि।सामानि यस्य किरणा: प्रभवादिहेतुं ब्रह्माहरात्मकमलक्ष्यमचिन्त्यरूपम्।। પૂજા પુરી થયા બાદ તમારા મસ્તક પર ચંદન જરૂર લગાવવું જોઈએ જેથી તમારી બધી મનોકામના સૂર્ય દેવ પુરી કરશે.