લોકસભામાં રાહુલ ગાંધીના આરોપ પર પલટવાર કરતાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજુએ એક મોટું નિવેદન આપ્યું હતું.
લોકસભામાં રાહુલ ગાંધીએ સરકાર પર લગાડ્યો મોટો આરોપ
કેન્દ્રીય મંત્રી રિજીજુનો પલટવાર
રાહુલે કહ્યું કે જંગલી આરોપ ન લગાડો
પુરાવાઓ આપો
ભારત જોડો યાત્રા પૂરી કર્યાં આવ્યાં બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતા જેનો શાસક પક્ષે મોટો વાંધો ઉઠાવીને હોબાળો મચાવ્યો હતો. રાહુલના આરોપનો જવાબ આપવા માટે કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજીજુ સામે આવ્યાં હતા.
Do not level 'wild allegations', give proof: Law Minister Kiren Rijiju in LS on Rahul Gandhi's Adani references
ઠાલામાલા આરોપ ન કરો, પુરાવા આપો
રાહુલ ગાંધીના લોકસભાના આરોપોને શાસક પક્ષ ભાજપ અને સરકારે ગંભીરતાથી લઈને તેની સામે વળતો પ્રહાર કર્યો હતો. સરકાર વતી કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજીજુએ પલટવાર કર્યો હતો. રિજીજુએ કહ્યું કે રાહુલ ગાંધીએ મનઘડંત આરોપ ન આપવા જોઈએ તેને બદલે તેમણે નક્કર પુરાવા આપવા જોઈએ. તેમણે કહ્યું કે રાહુલે દેશનું અપમાન કર્યું છે અને તેથી માફી માગવી જોઈએ.
ભાજપ પર કરી રાહુલ ગાંધીની માફીની માગ
બીજી તરફ ભાજપે પણ રાહુલ ગાંધીના લોકસભાના ભાષણ પર પલટવાર કરીને તેમની પાસે માફીની માગ કરી હતી.
શું બોલ્યાં હતા રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ લોકસભામાં સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતા. ખુદ સ્પીકર ઓમ બીરલાએ પણ રાહુલને ટોક્યા હતા.