દિવાળી આવે એ પહેલા લોકો પોતાના ઘરની સાફ-સફાઇ કરતા હોય છે. ત્યારે જ મા લક્ષ્મીનો વાસ રહે છે. જો કે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કોઇ પણ એવી ચીજ ના રાખવી જોઇએ જેનાથી અપશકુન થાય. જો તમે હવે દિવાળીની સાફ સફાઇ કરતાં હોવ તો આ વસ્તુઓ ઘરમાંથી તરત જ હટાવી દો. નહીં તો તમે કંગાળ થઇ જશો.
દિવાળીના દિવસે ઘરમાં બેકાર સામાન ના રાખશો
આ વસ્તુઓ નહીં હટાવો તો તમે કંગાળ બની શકો છો
દિવાળીના દિવસે ઘરને ચોખ્ખું રાખવામાં આવે છે. ત્યારે જ મા લક્ષ્મી ખુશ થાય છે અને એમનો ઘરમાં વાસ થાય છે. આ કારણોથી જ મોટાભાગના લોકો દિવાળી પહેલા સાફ-સફાઇ કરતા હોય છે. પરંતુ એ સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તો ચલો અમે તમને જણાવીએ એવી તો કઇ ચીજ છે જેનાથી તમને અપશકુન થઇ શકે છે.
જો તમારા ઘરમાં તૂટેલો પલંગ અથવા ચારપાઇ રાખી હોય તો એને તરત હટાવી દો, આવું ન કરવા પર તમારા વૈવાહિક જીવનમાં ઝઘડા થઇ શકે છે.
ઘરમાં કોઇ પણ પ્રકારનો કાચનો તૂટેલો સામાન રાખશો નહીં, એનાથી ઘરમાં વાસ્તુ દોષ થવાની શક્યતા થાય છે, આ માનસિક તણાવનું કારણ બની શકે છે.
ઘરમાં કોઇ પણ પ્રકારનું તૂટેલા-ફૂટેલા ઇલેક્ટ્રૉનિક્સ આઇટમ ના રાખો. એનાથી વાસ્તુદોષ થઇ શકે છે આ નિર્ધનતાનું કારણ બની શકે છે.