હિન્દુ ધર્મમાં દરેક ભગવાનની એક અલગ કથા છે, અને તે કથાઓને અનુસરવાથી જીવનમાં લાભ થાય છે તેવું પણ શીખવાડવામાં આવે છે. ત્યારે ભૂત, પ્રેત, પિશાચ વગેરેથી બચવા માટે હનુમાનજીના નામનો સહારો માનવજાતિ લે છે.
ઘરમાં ન લગાવો આ પ્રકારની તસવીર
હનુમાનજીની કેટલીક તસવીર ન લગાવો
જાણો કેવી તસવીર લગાવવી જોઇએ
હનુમાનજી તેમના ભક્તો પર આવનાર તમામ સંકટ હરી લે છે અને તેમના જીવનમાં શાંતિનો સંચાર કરે છે. આજના સમયમાં પણ લોકો હનુમાન ચાલીસાના પાઠ કરે છે અને મંગળવાર તેમજ શનિવારે તેમના મંદિરે જાય છે. હનુમાનજી રામ ભગવાનના ભક્ત છે અને તેમની શરણમાં જવા માત્રથી તમામ પાપ નાશ પામે છે. હનુમાનજીના ભક્તો પર દરેક દેવી દેવતાઓની વિશેષ કૃપા રહે છે.
બીજી તરફ હનુમાનજીની કૃપા પામવા માટે કેટલાક લોકો હનુમાનજીની વિશેષ પૂજા-અર્ચના કરે છે. ઘરમાં પણ હનુમાનજીની તસવીર કે મૂર્તિ રાખે છે પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં ભગવાનની મૂર્તિ કે તસવીર કેવી રીતે રાખવી જોઇએ. બજરંગબલિના કેટલાક રૂપને ઘરમાં ન રાખવાથી જ ઘરની શાંતિ બની રહે છે. આજે અમે તમને જણાવીશું કે ઘરમાં હનુમાનજીની કઇ તસવીર રાખવાથી અશાંતિ પ્રવર્તે છે.
કઇ તસવીર ન લગાવો
ઘરમાં હનુમાનજીની એવી તસવીર ક્યારેય ન લગાવો જેમાં તેમણે પોતાની છાતિને ચીરી હોય.
જે તસવીરમાં હનુમાનજી સંજીવની લેવા માટે આકાશમાં ઉડી રહ્યાં હોય, તેવી તસવીરને ઘરમાં ન લગાવવી જોઇએ. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે હનુમાનજીની સ્થિર મૂર્તિની જ પૂજા થવી જોઇએ.
રાક્ષસોનો સંહાર કરતા હનુમાનજી પણ ઘરમાં ન રાખવાની સલાહ છે.
જે તસવીરમાં હનુમાનજીએ રામ અને લક્ષ્મણને ખભા પર બેસાડ્યા હોય તેવી તસવીરને પણ ઘરમાં રાખવાથી અશાંતિ ફેલાય છે.
હનુમાનજી દ્વારા લંકા દહન કરવામાં આવ્યુ હતુ અને તેવી તસવીર જો ઘરમાં હોય તો ન રાખવી જોઇએ. આ તસવીર ઘરમાંથી સુખ અને સમૃદ્ધિ ઓછી કરે છે.
કેવી તસવીર ઘરમાં લગાવશો?
હનુમાનજીની યુવા અવસ્થામાં પીળા રંગના વસ્ત્રો પહેર્યા હોય તેવી તસવીર લગાવવી શુભ ગણાય છે.
જે તસવીરમાં હનુમાનજી વાંચી રહ્યાં છે કે ભણી રહ્યાં છે, તેવી તસવીર ઘરમાં લગાવવી જોઇએ, તેનાથી મન એકાગ્ર થાય છે.
જે તસવીરમાં હનુમાનજી ભગવાન રામની સેવા કરી રહ્યાં હોય તેવી તસવીર લગાવવાથી ઘરમાં ધનવર્ષા થાય છે.
ડાઇનીંગ રૂમમાં ભગવાન રામના દરબારની ફોટો લગાવવો જોઇએ, જેનાથી પરિવારમાં પ્રેમ વધે છે.
ઘરના મુખ્યદ્વાર પર પાંચમુખી હનુમાનજીનું ચિત્ર લગાવવુ જોઇએ,જેથી ઘરમાં કોઇ પણ નકારાત્મક શક્તિ પ્રવેશી નહી શકે. ઘર-પરિવાર પર પણ કોઇ પ્રકારનું સંકટ નહી આવે
હનુમાનજી બેઠેલા હોય તેવી તસવીર લગાવવાથી પણ ઘરમાં કલેશ નહી થાય
વૈવાહિક લોકોએ પોતાના બેડરૂમમાં હનુમાનજીની કોઇ પણ પ્રકારની તસવીર ન લગાવવી જોઇએ.
તો તમે જાણી લીધુ હશે કે ઘરમાં હનુમાનજીની તસવીર લગાવવાથી આ પ્રકારના ફાયદા અને ગેરફાયદા થાય છે. હવે જ્યારે પણ ઘરમાં હનુમાનજીની તસવીર લગાવો આ ધ્યાન રાખજો કે કેવા પ્રકારની તસવીર લગાવવી જોઇએ.