હિન્દુ ધર્મમાં પૂજા-પાઠનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રોમાં પૂજા સ્થાન અંગે ઘણી વાતો જણાવવામાં આવી છે. ઘરમાં પૂજા સ્થાન યોગ્ય દિશામાં હોવાથી જીવનમાં સુખ-શાંતિનો વાસ થાય છે. તો અયોગ્ય દિશામાં ઘરનું પૂજા મંદિર રાખવાથી અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય જીવનમાંથી સુખ-શાંતિ જતી રહી છે. એવામાં જાણીએ કે ઘરનું પૂજા મંદિર કેવુ હોવુ જોઈએ.
હિન્દુ ધર્મમાં પૂજા-પાઠનું વિશેષ મહત્વ
પૂજા સ્થાન યોગ્ય દિશામાં હોવાથી જીવનમાં સુખ-શાંતિ આવે છે
અયોગ્ય દિશામાં પૂજા મંદિર હોવાથી અનેક મુશ્કેલી સર્જાશે
આવુ હોવુ જોઈએ ઘરનું પૂજા મંદિર
ઘરના પૂજા ઘરમાં ગણેશજીની મૂર્તિ રાખી છે તો આ વાતનું ધ્યાન રાખવુ જોઈએ કે મંદિરમાં ગણેશજીની ત્રણ મૂર્તિઓ ના રાખવી જોઈએ. આવુ કરશો તો તમારા ઘરમાં અશાંતિ આવી શકે છે. તમે ગણેશજીની એક અથવા બે મૂર્તિ રાખી શકો છો.
તમારા ઘરના મંદિરમાં શંખ રાખો છો તો સારી વાત છે, પરંતુ આ વાતનું ખાસ ધ્યાન રાખો કે પૂજા ઘરમાં ફક્ત એક શંખ રાખવો જોઈએ. જો એકથી વધુ શંખ પૂજાઘરમાં છે તો એકને કોઈ પવિત્ર નદીમાં પધરાવી દો.
ઘરના મંદિરમાં મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા હોતી નથી. તેથી અહીં મોટી મૂર્તિઓ ના રાખવી જોઈએ.
જો પૂજામાં આરતી કરો છો તો આ વાતનું ખાસ ધ્યાન રાખો કે દીવામાં ઘી અથવા તેલ યોગ્ય માત્રામાં રાખો. કારણકે દીવો બુઝાઈ જવાથી પૂજા નિષ્ફળ થાય છે.