વાસ્તુશાસ્ત્રમાં સાવરણીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. સાથે જ ઘરમાં સાવરણી રાખવા અંગે પણ કેટલાક નિયમોની વાત કરવામાં આવી છે. જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો ઘરમાં ગરીબી આવવા લાગે છે.
દરેક વસ્તુઓ તેનો સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ આપે છે
ઘરમાં આ રીતે રાખો સાવરણી
નહીં તો માતા લક્ષ્મી ઘરથી થઈ જશે દૂર
ઘરમાં રાખેલી દરેક વસ્તુ પોતાનો પ્રભાવ છોડે છે. તે અસરો સકારાત્મક અથવા નકારાત્મક કંઈપણ હોઈ શકે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના ઘરમાં મા લક્ષ્મીનો વાસ હોય. ઘર સંપત્તિથી ભરપુર રહે. પરંતુ ઘણી વખત વ્યક્તિ દરેક વસ્તુનું ધ્યાન રાખવા છતાં ઇચ્છે છે તે પ્રાપ્ત કરી શકતો નથી. આવી સ્થિતિમાં વાસ્તુ દોષ પણ તેનું કારણ છે. જેને આપણે ઘણીવાર અવગણીએ છીએ.
માતા લક્ષ્મી થઈ શકે છે નારાજ
વાસ્તુમાં સાવરણી પર પણ વિશેષ ભાર આપવામાં આવ્યો છે. ઘરમાં ઝાડુને લઈને કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિ આ નિયમોનું પાલન ન કરે તો મા લક્ષ્મી ક્રોધિત થઈને ઘરની બહાર નીકળી જાય છે. ઉપરાંત, વ્યક્તિને ગરીબીનો સામનો કરવો પડે છે. ચાલો જાણીએ આવા જ કેટલાક નિયમો વિશે.
વાસ્તુ અનુસાર આ વાતોનું રાખો ધ્યાન
વાસ્તુ અનુસાર સાવરણીને ક્યારેય ઉભી ન રાખવી. એવું માનવામાં આવે છે કે ઉભી સાવરણી ખરાબ નસીબનું કારણ બને છે. તેથી સાવરણી હંમેશા નીચે જ રાખો.
એવી પણ માન્યતા છે કે રસોડામાં સાવરણી ન રાખવી જોઈએ. આમ કરવાથી ઘરમાં ભોજનની અછત રહે છે. સાથે જ ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે.
વાસ્તુ નિષ્ણાતો કહે છે કે ઘરમાં સાવરણીને પૈસાની જેમ છુપાવીને રાખવી જોઈએ. જ્યાં લોકોનું ધ્યાન પડે ત્યાં સાવરણી ન મુકો. કહેવાય છે કે સાવરણી હંમેશા એવી જગ્યાએ રાખો જ્યાં બીજાની નજર ન પડે. એવું કહેવાય છે કે ખુલ્લામાં રાખેલી સાવરણીથી સકારાત્મક ઉર્જા બહાર આવે છે.
જો સાવરણી તૂટી ગઈ હોય, તો તેને તરત જ બદલવી નાખવી જોઈએ. કહેવાય છે કે તૂટેલી સાવરણીથી ઘરની સફાઈ કરવાથી ઘણી સમસ્યાઓ થાય છે. જેના કારણે વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. જૂની સાવરણી કાઢીને શનિવારે ઘરમાં નવી સાવરણી લાવવી જોઈએ.