થાળીમાં 3 રોટલી આપવાને અશુભ માનવામાં આવે છે. તો થાળીમાં 3 રોટલી શા માટે પીરસવી ના જોઈએ, તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવે છે.
હિન્દુ ધર્મમાં અનેક માન્યતાઓ રહેલી છે
થાળીમાં 3 રોટલી શા માટે પીરસવી ના જોઈએ
જાણો આ માન્યતા પાછળનું વૈજ્ઞાનિક કારણ
હિન્દુ ધર્મમાં અનેક માન્યતાઓ રહેલી છે. નિયમિતરૂપે અનેક એવી બાબતો સર્જાય છે જેને શુભ તથા અશુભ કાર્ય સાથે જોડવામાં આવે છે. થાળીમાં 3 રોટલી આપવાને અશુભ માનવામાં આવે છે. તો થાળીમાં 3 રોટલી શા માટે પીરસવી ના જોઈએ, તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવે છે.
મૃતકના ભોજન સમાન-
હિન્દુ ધર્મની પરંપરા અનુસાર થાળીમાં 3 રોટલી ના પીરસવી જોઈએ. ત્રણ રોટલી મૃતકના ભોજન સમાન હોય છે. જ્યારે ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો થાળીમાં 3 રોટલી પીરસવામાં આવે છે. મૃતક વ્યક્તિના ત્રયોદશી સંસ્કાર પહેલા મૃતકના નામની થાળી પીરસવામાં આવે છે, જેમાં 3 રોટલી મુકવામાં આવે છે. માત્ર પીરસનાર વ્યક્તિ જ આ થાળીનું ભોજન કરી શકે છે. આ કારણોસર જીવિત વ્યક્તિની થાળીમાં 3 રોટલી મુકવાને અશુભ માનવામાં આવે છે.
દુશ્મની વધે છે-
માનવામાં આવે છે કે, જે વ્યક્તિની થાળીમાં એક સાથે 3 રોટલી મુકવામાં આવે છે, તે વ્યક્તિના મનમાં અન્ય લોકો પ્રત્યે દુશ્મની ઊભી થાય છે. આ કારણોસર થાળીમાં એકસાથે 3 રોટલી ના મુકવી જોઈએ.
અશુભ અંક માનવામાં આવે છે-
હિન્દુ ધર્મમાં શુભ કામ કરવા માટે 3ની સંખ્યાના ઉપયોગને અશુભ માનવામાં આવે છે. પૂજાપાઠમાં કોઈપણ વસ્તિ જોડીમાં જ મુકવામાં આવે છે, 3ની સંખ્યામાં મુકવામાં આવતી નથી. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અનુસાર કોઈપણ વ્યક્તિને એકથી વધુ વાર ભોજન આપવું તે ભોજનની બર્બાદી છે. સામાન્ય વ્યક્તિએ એક વાટકી દાળ, શાકભાજી, ભાદ અને બે રોટલી જ આપવી જોઈએ.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)