અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શુક્રવારે એક મુર્ખામી ભરી સલાહ આપવામાં આવી હતી. જેને લઈને તેઓ લોકોમાં હાસ્યાસ્પદ બન્યા હતા. અમેરિકામાં 24 કલાકમાં 1950 મોત થાય છે તો 38523 લોકો કોરોનાગ્રસ્ત થયા છે. ત્યારે અમેરિકામાં મૃત્યુઆંક 52,193 થયો છે. જ્યારે કોરોનાગ્રસ્તની સંખ્યા 925,232 થઈ છે. સાજા થનારની સંખ્યા 110,432 છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 762,607 છે.
ટ્રમ્પે કરી હતી આ મુર્ખામી ભરી વાત
જાણકારોએ કહ્યું કે ભૂલથી પણ માણસ પર આ ઈન્જેક્શન ન વાપરતા
અમેરિકામાં 24 કલાકમાં 1950 મોત, 38523 લોકો કોરોનાગ્રસ્ત
LYSOLએ ચેતવણી આપતા કહ્યુ કે ભૂલથી પણ માણસ પર આ ઈન્જેક્શન ન વાપરતા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શુક્રવારે એક મુર્ખામી ભરી સલાહ આપવામાં આવી હતી. જેને લઈને તેઓ લોકોમાં હાસ્યાસ્પદ બન્યા હતા.
એ બાદ તેમણે પોતાનું નિવેદન ફેરવી તોડ્યું છે. જેમાં કીટાણુનાશક કંપની LYSOLએ ચેતવણી આપતા કહ્યુ કે ભૂલથી પણ માણસ પર આ ઈન્જેક્શન ન વાપરતા. તેનું પરિણામ ગંભીર આવશે. તેમણે એમ પણ કહ્યુ હતું કે કોઈ સંશોધનમાં એ સાબિત નથી થયું કે ગરમી કે તડકામાં વાયરસ મરી જાય છે.
ટ્રમ્પે કરી હતી આ મુર્ખામી ભરી વાત
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે શુક્રવારે કહ્યુ હતું કે એ બાબતનો અભ્યાસ કરવો જોઈએ કે કીટાણુનાશકને શરીરમાં ઈન્જેક્ટ કરવાથી વાયરસ મળી જાય છે. તેમણે દર્દીઓના શરીરમાં આ ઈન્જેક્ટ કરવાની વાત કરી હતી. તેમણે ત્યાં સુધી કહી દીધુ હતુ કે અલ્ટ્રાવાયલેટ (યુવી) પ્રકાશને શરીરમાં ઈરેડિયેટ(વિકિરણ) કરી શકાય? નોંધનીય છે કે આ સલાહ તેમણે એટલા માટે આપી કે તેમના સલાહકાર બ્રાયને કહ્યુ હતું કે અતિશય ગરમી અને તડકામાં વાયરસ મરી જાય છે.
દુનિયાભરના મેડિકલ સમુદાયે ટ્ર્મ્પની ટીકા કરી છે
ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે સેનેટાઈઝરના ઈન્જેક્શનથી મોટા પ્રમાણમાં યુવી કિરણો શરીરમાં કેમ ન પહોંચાડી શકાય? ટ્રમ્પે રહી જતુ હોય મુર્ખામી કરવામાં કંઈ એમ વ્હાઈટ હાઉસની કોરોના ટાસ્ક ફોર્સના ડૉ. ડેબોરાહ બિર્ક્સની સામે જોઈને ત્યાં સુધી કહી નાંખ્યુ હતું કે મને લાગે છે કે તમે આવો ટેસ્ટ નથી કર્યો પણ તમે આમ કરી શકો છે. ડૉ. બિર્ક્સ ટ્રમ્પન સલાહથી હેરાન થઈ ગયા હતા અને કહ્યુ કે સારવારમાં આ શક્ય નથી. દુનિયાભરના મેડિકલ સમુદાયે ટ્ર્મ્પની ટીકા કરી છે.
ડૉ. વિન ગુપ્તાએ ચેતવ્યા તો બ્રિડેને ઉઘડો લીધો ટ્રમ્પનો
પલ્મોનોલોજિસ્ટ ડૉ. વિન ગુપ્તાએ ચેતવતા કહ્યુ કે ટ્રમ્પના આઈડિયા પર અમલ ન કરતા. કોઈ પણ પ્રકારની ક્લિન્ઝિંગ પ્રોડક્ટનું ઈન્જેક્શન ભયાનક સાબિત થશે. જો જરાક અમથુ પણ આ શરીરમાં જશે તો ઉલ્ટી, ડાયેરિયા, ઉબકા, ચક્કર કે પછી હૃદયને નુકશાન પહોંચાડશે. તો અમેરિકાના બ્રિડને ટ્રમ્પને કહી દીધુ કે સલાહ આપવાની જગ્યાએ પીપીઈ કિટ અને ટેસ્ટિંગ કીટ પર ધ્યાન આપો.
ચીને કહ્યું અમેરિકા વૈજ્ઞાનિકોને વુહાન કે ચીનમાં પ્રવેશ નહીં મળે
કોરોનાને લઈને ટ્રમ્પે ચીન પર અનેકવાર સવાલ ઉઠાવ્યા છે અને પોતાની તપાસ ટીમ મોકલવાની ઈચ્છા દર્શાવી છે. ત્યારે ચીને પોતાની પોલ ન ખુલી જાય તે માટે અમેરિકાના કોઈ પણ વૈજ્ઞાનિકોને વુહાનની વાઈરોલોજી લેબ કે દેશના કોઈ પણ ખુણામાં પ્રવેશ આપવાની ના પાડી દીધી છે. આ અંગેની માહિતી અમેરિકાના વિદેશ મંત્રી પોમ્પિયોએ એક ચેનલના માધ્યમથી આપી હતી.
એફડીઆઈએ ઘરે તપાસ માટેની કિટની મંજૂરી આપી
કોરોના વાયરસને પહોંચી વળવા એક પગલા હેઠળ અમેરિકાએ ખાદ્ય તથા ઔષધિ વિભાગે ઘરે જ કોવિડ-19ની તપાસ માટે સક્ષમ પહેલી કીટને મંજુરી આપી છે. જેમાં કોરોનાની ઘરે તપાસ થવાની આશા છે. અમેરિકાની ‘લેબ કૉપ’એ પહેલી ઘરેલુ કિટને વિકસિત કરી છે. જેની કિંમત 119 ડૉલર રાખવામાં આવી છે.
ટ્રમ્પના એક મુખ્ય સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યું કે ઘાતક કોરોના વાયરસના ઉપચારને શોધવા માટે 72 મેડિકલ પરિક્ષણ કરવામાં આવી રહ્યા છે અને 211 પરિક્ષણની યોજના અંતિમ ચરણમાં છે. ફુડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (એફડીઆઈ)ના સ્ટીફન એમ હાને શુક્રવારે વ્હાઈટ હાઉસ સંવાદાતા સમ્મેલનમાં કહ્યું કે કોરોના વાયરસની દવા અને રસી શોધવાનું કામ ચાલુ છે. તેમજ એફટઆઈના રસીને લગતા પરિક્ષણ માટે 2 કંપનીઓને પસંદ કરવામાં આવી છે.
અમેરિકામાં ‘સામ્યવાદી ચીનને રોકો’ અભિયાન શરુ
કોરોના મુદ્દે ખોટુ બોલવા બાબતે ચીન સામે અમેરિકામાં વિરોધ પ્રબળ બન્યો છે. અમેરિકામાં ભારતીય મૂળના રિપબ્લિકન પાર્ટીના નેતા નિક્કી હેલીએ એ બાબત પર ભાર મુક્યો છે કે ચીનની ‘સામ્યવાગી સરકારને કોરોના વાયરસ વૈશ્વિક મહામારી વિશે ખોટુ બોલવા બાબતે જવાબદાર ગણવા જરુરી છે. ’તેમના આ પ્રસ્તાવ પર 40 હજારે હસ્તાક્ષર કર્યા. નિક્કીઓ એક ઓનલાઈન અરજી પર હસ્તાક્ષર કરવાનું અભિયાન શરુ કર્યુ છે. અભિયાનનું નામ છે‘સામ્યવાદી ચીનને રોકો’. આ અરજી પર 1લાખ લોકોના સહીનું લક્ષ્યાંક છે.