ભારતમાં કોરોનાના વધતા કેસ વચ્ચે હાઇ રિકવરી રેટે લોકોમાં નવી આશા જગાવી છે પરંતુ એક નવી બિમારીએ દસ્તક આપી છે, જે વધુ ખતરનાક છે.
કોરોનાથી રિકવર થયા બાદ રહો સતર્ક
ગંભીર બિમારીનો બનશો ભોગ
જો આ લક્ષણ દેખાય તો ડૉક્ટરનો કરો સંપર્ક
એક સ્ટડી અનુસાર કોવિડથી રિકવર થયા બાદ કેટલાક દર્દીઓમાં લોન્ગ ટર્મ કોમ્પ્લિકેશન્સ જોવા મળે છે. આ તકલીફ રિકવર થયા બાદ ખુબ લાંબા સમય સુધી જોવા મળે છે.
કોરોનાથી લાંબા સમય બિમાર રહેલા દર્દીઓ ઘણીવાર જૂની બિમારીનો શિકાર થઇ જાય છે અને કમજોર ઇમ્યૂનીટીના કારણે તેમને ખાસ દેખરેખની પણ જરૂર હોય છે. ઉદાહરણ તરીકે આપણે ઘણા પેશન્ટના કેસમાં જોયુ હશે કે તેમને હાર્ટ એટેક કે કાર્ડિયેક એટેક આવ્યો હશે. આ વાયરસમાંથી રિકવર થયા બાદ તે કિડની ડેમેજ કરી શકે છે.
રિકવર થયેલા દર્દીઓ પર તઇરહેલી સ્ટડીમાં જાણવા મળ્યુ છે કે ગંભીર સંક્રમણથી લડવાવાળા પેશન્ટને માત્ર ફોલોઅપ સ્ક્રિનિંગ કે ટેસ્ટ જ નહી પરંતુ એક વોર્નિંગ સાઇન અને અન્ય લક્ષણને ઓળખવાની પણ જરૂર છે.
આ પ્રકારની બિમારીમાં કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ 4 અઠવાડીયા સુધી તેને બિમારીના લક્ષણ અનુભવાય છે અને આંકડા અનુસાર ચારમાંથી એક પેશન્ટ લાંબા સમય સુધી આ લક્ષણ અનુભવી શકે છે.
શું હોય છે લક્ષણ
એક રિપોર્ટ અનુસાર કોરોનાથી રિકવર થયેલા લોકોને એક કે બે મહિના બાદ પણ તેના લક્ષણ અનુભવાય છે. તેમાં સતત ખાંસી, કમજોરી, માથાનો દુખાવો, માંસપેશીઓમાં દુખાવો, બ્રેન ફ્રોગ જેવી સમસ્યા થઇ શકે છે. ડૉક્ટર્સનું કહેવુ છે કે ઘણીવાર કોવિડમાંથી રિકવર થયેલા પેશન્ટમાં લોન્ગ ટર્મ કોમ્પ્લિકેશન બોડીના ખરાબ ફંક્શનના કારણે પણ હોય છે.
ડાયબિટીસ
ડાયબિટીસના રોગીઓ માટે કોવિડ ખુબ ખતરનાક છે માટે જો કોઇને કોરોના થાય છે અને તેને મધુપ્રમેહની બિમારી છે તો સમયાંતરે શુગર ચેક કરાવતુ રહેવુ જોઇએ કારણકે તે ઇંસુલિન રેગુલેશનમાં પણ હર્ડલ ઉભા કરી શકે છે.
આ લક્ષણોને કરો મોનીટરિંગ
ડાયબિટીઝના દર્દીઓએ કોવિડ 19થી રિકવર થયા બાદ કેટલીક વસ્તુઓ પર ધ્યાન આપવુ જોઇએ. શું તમને વધારે ભૂક કે તરસ લાગેછે અથવા તમને ધૂંધળુ દેખાઇ રહ્યું છે કે ઇજા થઇ હોય તે સાજી થવામાં સમય લાગી રહ્યો છે.