બીએસએનએલના કર્મચારીઓ પર સેલેરી સંકટનું જોખમ મંડરાઇ રહ્યું છે. BSNL ના કર્મચારીઓએ સરકારને પત્ર લખીને તત્કાળ નકદ રકમની માગણી કરી છે. કંપની કહેવું છે કે એમની પાસે કર્મચારીઓને જૂન મહિનાથી સેલેરી આપવા માટે પણ પૈસા નથી.
BSNL ના એન્જીનિયરોનું કહેવું છે કે કંપનીને ફરીથી ઊભી કરવી જોઇએ. એના માટે એ કર્મચારીઓની જવાબદારી નક્કી કરી લેવી જોઇએ જે કામ યોગ્ય રીતે કરી રહ્યું નથી.
AIGETOA એ લખ્યો પત્ર
એની સાથે જ એમને કહ્યું છે કે હાલ BSNL પર કોઇ દેવું નથી અને એની માર્કેટ ભાગીદારીમાં સતત વધારો થઇ રહ્યો છે. ઑલ ઇન્ડિયા ગ્રેજ્યુએટ એન્જીનિયર્સ એન્ડ ટેલિકોમ ઓફિસર્સ એસોસિએશને પત્ર લખીને પીએમ મોદીને કંપનીની નકદી સંકટને દૂર કરવા માટે બજેટ સમર્થન આપવાનો અનુરોધ કર્યો છે.
પત્રમાં કહેવામાં આવ્યું છે કે, 'અમારું માનવું છે કે હાલના રોકડ સંકટને દૂર કરવા માટે સરકાર તરફથી મળતું ન્યૂનતમ સમર્થનથી પણ BSNL ને એક વખત ફરીથી નો કમાવનારી કંપનીઓમાં સામેલ કરી શકાય છે.'
ફેબ્રુઆરી માર્ચ મહિનામાં પણ આવી હતી સમસ્યા
1.7 લાખ કર્મચારીઓ વાળી કંપનીને ફેબ્રુઆરીમાં પણ સેલેરી આપવામાં પરેશાની આવી હતી. સરકારે ગત મહિને કંપનીને બેંકો પાસેથી લોન અપાવવા માટે ગેરંટી પત્ર રજૂ કર્યો હતો.
એસોસિએશનની માગ
એસોસિએશનની માગ છે છે BSNL માં કર્મચારીઓ માટે પ્રદર્શન આધારિત વ્યવસ્થા બનાવવી જોઇએ. એનાથી સારુ પ્રદર્શન કરનાર કર્મચારીઓને પુરસ્કૃત કરવામાં આવશે જ્યારે ખરાબ પ્રદર્શન કરનાર કર્મચારીઓ પાસેથી જવાબ માંગી શકાશે.
BSNL અને MTNL 2010 થી નુકસાનમાં ચાલી રહી છે. MTNL દિલ્હી અને મુંબઇમાં તથા BSNL શેષ 20 દૂરસંચાર સર્કિલામાં પરિચાલન કરે છે. BSNL ની ખોટ સતત વધતી જઇ રહી છે. નાણાંકીય વર્ષ 2017માં કંપનીને 4,768 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. તો બીજી બાજુ 2018માં આ વધીને આઠ હજાર કરોડ રૂપિયા થઇ ગયો. 2019માં ખોટ વધી ગઇ હોય એવી આશા છે.