દિકરીના લગ્નનો જ્યારે પ્રસંગ હોય ત્યારે ઘરમાં કેટકેટલીય પ્રકારની તૈયારીઓ કરવામાં આવે છે. વિવિધ વસ્તુઓની ખરીદીથી શરૂ થઇ ઘરને રંગરોગાન અને લાઇટીંગ જોઇ વાતાવરણ પણ ચારે કળાએ ખીલી ઉઠી છે.
દિકરીને આણામાં આપવાની વસ્તુઓની ખરીદી તો કેટલાય મહીના અગાઉ થઇ જાય છે. પરંતુ દિકરીની વિદાયવેળાએ કેટલીક ચીજ વસ્તુઓ ના આપવી જોઇએ તેવુ આપણું શાસ્ત્ર કહે છે.
આજના સમયમાં કોઇપણ સારા પ્રસંગે ભગવાન ગણેશની મૂર્તિ કે મઢાવેલી તસ્વીર ભેટ તરીકે આપવાનું ચલણ મોટા પાયે વધ્યું છે. પરંતુ આ ભેટ એવી છે જે સાસરે જતી દીકરીને ન આપવી જોઈએ. આમ કરવાથી દીકરીના પિતાના ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે.
હિંદૂ ધર્મ અનુસાર દીકરી ઘરની લક્ષ્મી ગણાય છે અને ગણેશજી શુભતાનું પ્રતિક છે તેઓ દરેક વિધ્નને દૂર કરે છે પરંતુ જો ઘરની લક્ષ્મી એટલે કે દીકરીને સાસરે વિદાય કરતી વખતે તેના હાથમાં ગણેશજી સોંપવામાં આવે તો ઘરની સમૃદ્ધિ પણ તેની સાથે જતી રહે છે.
વાસ્તુશાસ્ત્ર મુજબ ભગવાન ગણપતિની મુર્તિ આપવાથી આપનાર ના ઘરમાથી લક્ષ્મીજી પણ વિદાય લે છે. એટલે ક્યારેય કોઇ વ્યક્તિને કે પોતાની દિકરીને ગણપતિની પ્રતિકૃતિ કે તસ્વીર આપવા ના જોઇએ.