દેશભરમાં 16 જાન્યુઆરીથી રસીકરણ ડ્રાઈવ શરુ થવા જઈ રહી છે. પ્રધાનમંત્રી મોદી રસીકરણના મહાઅભિયાનની શરુઆત આજે સવારે 10.30 વાગે કરશે. ત્યારે પીએમ Co-Win એપ લોંચ કરશે. પહેલા ચરણમાં હેલ્થ કેર વર્ક્સને રસી આપવામાં આવશે. જાન્યુઆરીના અંતમાં ફ્રન્ટ લાઈન વર્ક્સને રસી આપવાની તૈયારીમાં સ્વાસ્થ્ય મંત્રાલય જોડાયેલું છે. જાણકારોનું કહેવું છે કે કોરોનાની રસી લીધા બાદ માસ્ક લગાવવું અને 6 ફુટનું અંતર રાખવાના નિયમોનું પાલન બહું જરુરી છે. કેમ કે કોરોના વાયરસનો નવો સ્ટ્રેન રસીકરણ બાદ પણ અસર કરી શકે છે.
રસી લગાવ્યા બાદ માસ્ક લગાવવું જરુરી
નવા સ્ટ્રેન પર રસી અસર નથી કરતી
શરદી, તાવ અને ખાંસી છે તેમને રસી લેવાની મનાઈ
દેશમાં લગભગ 2 કરોડ ફ્રન્ટ લાઈન વર્કર્સ છે
સ્વાસ્થ્ય મંત્રાલયથી મળતી માહિતી અનુસાર તમામ રાજ્યોને 26 જાન્યુઆરી સુધી તમામ ફ્રન્ટ વર્કર્સનો ડેટા જમા કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તમામ ફ્રન્ટલાઈન વર્કર્સને કો- વિન એપ અપલોડ કરવાનુ કહેવામાં આવ્યું છે. જ્યારે આ ડેટા અપલોડ થઈ જશે તો તેના 2થી 3 દિવસ બાદ ફ્રન્ટ લાઈન વર્કર્સનું પણ રસીકરણની શરુ થઈ જશે. જાન્યુઆરીના અંત સુધીમાં આ કાર્યક્રમ સમગ્ર દેશમાં થવાની આસા છે. દેશમાં લગભગ 2 કરોડ ફ્રન્ટ લાઈન વર્કર્સ છે.
જેમને આ સમસ્યા છે તેમને રસી લેવાની મનાઈ
મળતી માહિતી અનુસાર રસીકરણની શરુઆત થવાના 2થી 3 દિવસમાં રાષ્ટ્રીય કોવિડ ટાસ્ક ફોર્સના પ્રમુખ પ્રો. વી. કે પોલ અને એમ્સ ડિરેક્ટર પ્રો. ગુલેરિયા કોરોનાથી બચાવ માટે રસી લઈ શકે છે. જેમને શરદી, ખાંસી અથવા તાવ છે તેવા લોકોને રસીકરણ માટે આવવાની મનાઈ કરી છે. ભલે આ વાયરસ હોય કેમ કે આવી સ્થિતીમાં રસીકરણ નહીં કરી શકાય છે. જેમની પાસે એન્ડ્રોયડ ફોન નહીં હોય તે પોતાના સંબંધીનો ફોન ઉપયોગમાં લઈ શકે છે. કેમ કે રસીકરણના બે ડોઝ બાદ તે નંબર પર ક્યૂઆર કોર્ડ આવશે. જેનાથી રસી મળ્યા બાદ પ્રમાણ પત્ર ડાઉનલોડ કરી શકાય.
ઈન્જેક્શનના એક કલાક સુધી તે સેન્ટરમાં જ રોકાય
દિલ્હી મેડિકલ અસોશિયેશનના સચિવ ડો. અજય ગંભીરે વેબ સાઈટ સાથે વાત કરતા જણાવ્યું કે પહેલા ચરણ માટે જે હેલ્થ કેર વર્ક્સે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેમને રસી આપવામાં આવશે. રસીને લઈને કોઈ પણ સમસ્યા થાય છે તો તેને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે.જે લોકો રસી લઈ રહ્યા છે તે પહેલા ડોક્ટરને પોતની બિમારી અને વર્તમાનમાં ચાલી રહેલી દવાઓની સંપૂર્ણ જાણકારી આપે. આ ઉપરાંત પોતાની એલર્જી હિસ્ટ્રી છે તો તે પણ શેર કરે. ઈન્જેક્શનના એક કલાક સુધી તે સેન્ટરમાં જ રોકાય.
રસી લગાવ્યા બાદ માસ્ક લગાવવું જરુરી
6 અઠવાડિયા સુધી ડોક્ટરોની ટીમ નજર રાખશે. એ બાદ 3થી 4 અઠવાડીયા બાદ બીજી રસી આપવામાં આવશે. રસી લગાવ્યા બાદ અમે એ જોઈશું કે અન્ટી બોર્ડી વિકસિત થઈ રહી છે કે નહીં. રસી લગાવ્યા બાદ માસ્ક લગાવવું અને 2 ગજનું અંતર રાખવાના નિયમોનું પાલન કરવું ખૂબ જરુરી છે, કેમ કે કોરોના વાયરસનો નવો સ્ટ્રેન રસીકરણ બાદ પર પણ અસર કરી શકે છે. આ માટે સાવધાની વર્તવી જરુરી છે.