અનેક રાજ્યોમાં શ્રાવણ મહિનો શરૂ થઈ ચૂક્યો છે અને તેમાં પણ આજે શિવરાત્રિની ઉજવણી થઈ રહી છે. ગુજરાતમાં ટૂકસમયમાં જ શ્રાવણ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. જ્યારે તમે શ્રાવણમાં ભગવાન શિવની પૂજા કરો છો ત્યારે તમારે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે આ વાતોને ઈગ્નોર કરશો તો તમને મોટું નુકસાન થઈ શકે છે. કહેવાય છે કે વ્રતમાં શિવલિંગ પર જળ ચઢાવવાથી અનેક ગણો લાભ મળે છે. તો તમે પણ જળ ચઢાવતી સમયે આ વાતોને ટાળો તે યોગ્ય છે.
શિવપૂજામાં ધ્યાન રાખો આ 8 વાતો
શિવલિંગને જળ ચઢાવવાથી વ્રતનું મળે છે અનેક ગણું પુણ્ય
જાણો શિવપૂજામાં કઈ વાતોને ગણાઈ છે નિષેધ
તુલસીને ભગવાન વિષ્ણુની પત્નીના રૂપમાં સ્વીકાર કરાઈ છે. તેથી તુલસીને શિવની પૂજામાં સામેલ કરવા નહીં. તુલસી ક્યારેય શિવલિંગ પર ચઢતા નથી.
ભગવાન શિવને જળ ચઢાવતી સમયે ખાસ વાસણનો ઉપયોગ કરાય છે. શિવલિંગને જળ ચઢાવવા તાંબાના લોટાનો પ્રયોગ કરવો અને દૂધ ચઢાવવા પિત્તળના લોટાનો ઉપયોગ કરવો.
તલ કે તલની કોઈ પણ વસ્તુ ભગવાન શિવને અર્પિત થતી નથી. તેને ભગવાન વિષ્ણુના મેલથી બની હોવાનું માનવામાં આવે છે. આ માટે તેને ભગવાન શિવને અર્પિત કરવા નહીં.
હળદરનો સંબંધ ભગવાન વિષ્ણુ અને સૌભાગ્ય સાથે છે. આ માટે ભગવાન શિવને ચઢતું નથી. જો તમે એમ કરો છો તો તેનાથી તમારો ચંદ્ર નબળો બને છે. ચંદ્ર નબળો હોવાથી તમે એક ચીજમાં મન લગાવીને કામ કરી શકશો નહીં.
ઉકાળેલા દૂધથી શિવજીનો અભિષેક ન કરો. શિવજીને કાયમ ઠંડું પાણી અને કાચા દૂધથી અભિષેક કરવો.
ભગવાન શિવને નારિયેળ ચઢાવી શકાય છે પણ નારિયેળ પાણી ન ચઢાવવું. તેનાથી ધનનું નુકસાન થાય છે.
કેતકીનું ફૂલ પણ ભગવાન શિવને ચઢાવવું નહીં.
ભગવાન શિવને ચોખા ચઢાવવા માટે પણ ખાસ નિયમ છે. તૂટેલા ચોખા અપૂર્ણ અને અશુદ્ધ હોય છે. માટે તે શિવજીને ચઢાવવા નહીં.