સપના જોવા બધા માટે ખૂબ જ સામાન્ય વાત છે પરંતુ તમે સપનામાં શું જોવો છો એ વાતનો પણ ખૂબ પ્રભાવ પડે છે. સામાન્ય રીતે એવું થાય છે કે લોકો કોઇ સપનું જોવે છે અને ત્યારબાદ એનો ઉલ્લેખ પોતાના નજીક અથવા મિત્રો સાથે જરૂરથી કરે છે. પરંતુ તમને જાણીને હેરાની થશે કે કેટલાક સપના એવા પણ છે જેનો ઉલ્લેખ કોઇની સાથે કરવો જોઇએ નહીં.
આજે અમે તમને કંઇક એવા જ સપના માટે જણાવવા જઇ રહ્યા છીએ જેનો ઉલ્લેખ કોઇની સાથે પણ કરવા પર પરિણામ તમારા માટે નુકસાનદાયક હોઇ શકે છે.
સપનામાં જોવા મળે ભગવાન તો એનું આ કારણ હોઇ શકે છે
જો કોઇ વ્યક્તિને સપનામાં ઇશ્વરના દર્શન થાય તો એનાથી મોટી સૌભાગ્યની વાત કોઇ હોઇ શકે નહીં. માણસની અંદર જે આત્મા હોય છે એ પરમાત્માનો એક ભાદ હોય છે. આત્માના રૂપમાં પરમાત્મા આપણી અંદર નિવાસ કરે છે. એટલા માટે જ્યારે પણ આપણને ભગવાન સપનામાં જોવા મળે તો એનો મતલબ થાય છે કે ઇશ્વર આપણો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને મનુષ્યની અંદર જ્યારે સપનામાં ઇશ્વર જોવા મળે છે તો એ એના માટે સૌથી સુખદ અને આલૌકિક ક્ષણ હોય છે. એનો અર્થ એવો પણ હોઇ શકે છે કે ઇશ્વર આપણા સપનામાં આવીને આપણને કંઇક સંદેશ આપવા ઇચ્છી રહ્યો હોય જે ફક્ત આપણા માટે જ હોય.
જો સપનામાં ભગવાન જોવા મળે તો કોઇની પણ સાથે શેર કરવું જોઇએ નહીં. એવું માનવામાં આવે છે કે ઇશ્વરના સપનામાં દર્શન આપવાની વાત આપણે કોઇને જણાવીએ છીએ તો ઇશ્વર સાથેનો આપણે કોન્ટેક્ટ હંમેશા માટે ખતમ થઇ જાય છે. એટલા માટે કહેવાય છે કે જો ભગવાન સપનામાં જોવા મળે ચો એનો અર્થ એવો છે કે એ આપણી સાથે કંઇક ખાસ વાત કરવા ઇચ્છી રહ્યા છે અને આ જ કારણથી આપણે ક્યારેય પણ કોઇને આ વાત જણાવવી જોઇએ નહીં. આવું કરવા પર ઘણી વખત વ્યક્તિને જે ફળ મળવાનું હોય છે મનુષ્ય એનાથી અછૂત રહે છે.