નવરાત્રી માતા દુર્ગાની ભક્તિનો તહેવાર છે અને તેમાં લોકો દેવીને રીઝવવા માટે વ્રત કરે છે પરંતુ તેમાં ભૂલ થાય તો મા અંબે ક્રોધિત થઇ જાય છે.
નવરાત્રીના ઉપવાસમાં આ ભૂલો ન કરશો
વજન ઘટવાની જગ્યાએ વધી જશે
ભક્તિ સાથે હેલ્થને પણ સાચવજો
નવરાત્રીના વ્રત
આધુનિક જમાનામાં લોકો નવરાત્રીનું વ્રત ભક્તિ સાથે વજન ઓછું કરવા માટે પણ કરતાં હોય છે. એક્સપર્ટ માને છે કે વ્રત કરવું તે તમારી હેલ્થ માટે પણ સારું છે. અઠવાડીયામાં એક વાર વ્રત જરૂર કરવું જોઇએ.
આ ભૂલો ન કરવી જોઇએ
વ્રત કરવાનો ફાયદો તે છે કે બોડી ડિટોક્સ થઇ જાય છે અને વજન પણ ઓછું થઇ જાય છે પરંતુ કેટલીક વાતો ધ્યાનમાં નહી રાખો તો વજન ઘટવાની જગ્યાએ વધી જશે.
ઘી-તેલમાં બનેલી વસ્તુંઓ ટાળો
વ્રત દરમિયાન લોકો તેલ કે ઘીમાં બનેલી વસ્તુંઓ ખાય છે જેના કારણે વજન વધી જાય છે. તેનાથી બોડીમાં ફેટ વધી જાય છે અને ઘટવાની જગ્યાએ વધી જાય છે.
ભરપૂર માત્રામાં પાણી પીવો
ઘણીવાર વ્રત દરમિયાન લોકો ઓછુ પાણી પીવે છે પરંતુ આવું કરવાથી શરીરને નુકસાન પહોંચે છે. પાણી તમારા શરીરને ડિટોક્સિફાય કરે છે અને ડાયડ્રેટ રાખે છે. માટે પાણી પીવાનું બંધ ન કરશો.
જંકફૂડ બંધ કરો
બજારમાં બટાકાની વેફર, પાપડ, કે અન્ય ફરાળી વસ્તુંઓ ન ખાવી જોઇએ પરંતુ જો તમને કંઇ ખાવાની ઇચ્છા થાય છે તો ઘરમાં બનેલી વસ્તુઓ જ ખાવી જોઇએ.
ફળ અને શાક
વ્રત દરમિયાન ફળ અને શાક પર્યાપ્ત માત્રામાં ખાવા જોઇએ. ઘણીવાર લોકો સાબુદાણા કે ખીર કે બર્ફી જેવી વસ્તુઓ વધારે ખાય છે અને ફળ નથી ખાતા. તેવામાં શુગરની માત્રા પણ વધારે કન્ઝ્યુમ કરે છે તેનાથી નુકસાન થાય છે.