આપણા જીવનમાં ડગલેને પગલે દુ:ખો આવતા હોય છે અને આપણે બઘા દુ:ખમાં આપણા ઇષ્ટદેવને સ્મરણ કરતા હોઇયે છીયે. જ્યારે શ્રાવણ મહિનામાં દેવાધીદેવ શિવજીની પૂજાનું વિશેષ મહત્વ હોય છે.
શ્રાવણ મહિનામાં ખાસ સોમવારનું વિશેષ મહત્વ હોય છે આ દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તેમને અલગ-અલગ વસ્તુ અર્પિત કરવામાં આવે છે.
પરંતુ આ તો હતી ભગવાનને અર્પિત કરવાની વાત પરંતુ આજે અમે તમને જણાવી રહ્યા છીએ એવી ત્રણ વસ્તુ વિશે કે જેનો શ્રાવણમાં ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ.
ધાર્મિક માન્યતા મુજબ શ્રાવણમાં લીલા શાકભાજી ન ખાવા જોઈએ. હકીકતમાં તે વાતને વધારે છે. તે સિવાય ચોમાસાના દિવસોમાં તેમાં બેક્ટેરિયા અને જીવાણુ પણ હોય છે.
એટલા માટે શ્રાવણમાં લીલા શાકભાજી ન ખાવા જોઈએ. આ ઉપરાંત શ્રાવણ મહિનામાં રીંગણ ન ખાવા જોઈએ. એવું માનવામાં આવે છે કે રીંગણ અશુદ્ધ છે.
તે સિવાય કારતક મહિનામાં પણ રીંગણ ન ખાવા જોઈએ. તેમજ વરસાદના લીધે રીંગણમાં જીવાણો વધારે થઈ જાય છે જે નુકસાન પહોંચાડી શકે છે. શ્રાવણ દરમિયાન દૂધ અને ડેરી પ્રોડક્ટ જેમ કે દૂધ દહીં પનીર કાચા દૂધનું સેવન ન કરવું જોઈએ.
આ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે શ્રાવણમાં કઢી ન ખાવી જોઈએ. આ વસ્તુદોષ વધારે છે. જેના લીધે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા થઈ શકે છે.