ધનતેરસના દિવસે દરેક શુભ કામ થઈ શકે છે પરંતુ આ દિવસ નવા ઘરમાં પ્રવેશ એટલે કે ગૃહપ્રવેશ માટે યોગ્ય નથી. ધનતેરસના દિવસે ઘરમાં પ્રવેશ કરવાથી આર્થિક નુકસાન થાય છે અને લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હંમેશા નડતી રહે છે.
આ દિવસે માતા લક્ષ્મીની વિશેષ પૂજા દરેક ઘરમાં કરવામાં આવે છે. લોકો આ શુકનવંતા દિવસે સોના-ચાંદીની ખરીદી પણ કરે છે. માન્યતા છે કે આ દિવસે ખરીદેલા સોનાથી વર્ષભર ઘરમાં બરકત રહે છે.
પરંતુ ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે આ દિવસ શુભ હોવા છતાં એક કામ કરવા માટે તેને શુભ માનવામાં નથી આવતો. ધનતેરસના દિવસે વાસ્તુ સુપ્તાવસ્થામાં હોય છે.
તેથી આ દિવસે ગૃહપ્રવેશ વાસ્તુની દ્રષ્ટિએ યોગ્ય નથી. આમ કરવાથી ઘરની મુખ્ય વ્યક્તિના સ્વાસ્થ્ય પર અસર થા. છે. સાથે જ પરીવારના સભ્યો પણ અસ્વસ્થ રહે છે.
લોકોનું સ્વાસ્થ્ય સારું ન રહે એટલે ધનસંચય કરવામાં પણ સમસ્યા નડે છે. આ ઉપરાંત ધનતેરસના દિવસે ગૃહપ્રવેશ કરવાથી ધનનો પ્રવાહ અટકે છે. ઘરની આર્થિક સ્થિતી દિવસેને દિવસે ખરાબ થવા લાગે છે. એટલા માટે જ ધનતેરસના દિવસે ક્યારેય પણ નવા ઘરમાં પ્રવેશ કરવો જોઈએ નહીં.