વ્યસ્ત જીવનમાં આપણે ઘણી વખત એવું કરીએ છીએ કે એક વખત જમવાનું બનાવીને રાખી મૂક્યું હોય અને પછી તેને જ લંચ કે ડિનર ટાઈમમાં ગરમ કરીને ખાઈ લઇએ છીએ.
બિઝી શેડ્યુલ છતાં ન કરતાં આ ભૂલો
બાળકોને ફરીથી ગરમ કરીને ન આપતા આ ફૂડ
બટાકા તો ખાસ ફરી ગરમ ન કરવા જોઇએ
પોતાના બિઝી શેડ્યુલમાં સમય બચાવવા અને ભૂખ શાંત કરવા માટે આ રીત ઘરે-ઘરે અપનાવામાં આવે છે. પરંતુ આ આદત તમારા ફૂડની ક્વોલિટી તો ખરાબ કરે જ છે, પણ તેનાથી સ્વાસ્થ્ય પર આડઅસર પણ થાય છે. આમ તો ફ્રીજમાં રાખેલું અમુક ફૂડ પણ એવું હોય છે જેને બીજી વખત ગરમ કરીને ખાવું ઝેર સમાન હોઈ શકે છે. તો આવો જાણીએ કે આખરે કઈ ચીજોને બીજી વખત ગરમ કરીને ખાવામાં આપણને નુકસાન થઈ શકે છે.
નોનવેજ ફૂડ
નોનવેજ એટલે કે ચિકન, મીટ અને ઈંડંા પ્રોટીનનું સ્ત્રોત માનવામાં આવે છે. પરંતુ જો વાસી નોનવેજ આઇટમને બીજી વખત ગરમ કરીને ખાવામાં આવે તો તે ઝેરી સાબિત થઈ શકે છે અને ડાઈજેશનમાં સમસ્યા થઈ શકે છે. એવામાં તેને પકવીને રૂમ ટેમ્પરેચર પર રાખવું વધુ યોગ્ય રહેશે અને જો તમે તાજું ખાઓ તો ઉત્તમ છે. વાસ્તવમાં ઉચ્ચ પ્રોટીનવાળાં ભોજનમાં નાઈટ્રોજન વધુ માત્રામાં જોવા મળે છે જેથી તેને બીજી વખત ગરમ કરવું હાનિકારક થઈ જાય છે. જેથી મોટી બીમારીઓ થઈ શકે છે.
ભાતને રિહીટ કરવો
વાસી ચોખાને ફરીથી ગરમ કરવાથી વ્યક્તિ ફૂડ પોઈઝનિંગનો શિકાર બની શકે છે. આમ કરવાથી, બેસિલસ સેરિયસ નામના અત્યંત પ્રતિરોધક બેક્ટેરિયા ચોખામાં વધે છે અને ખોરાકમાં ઝેરનું કારણ બને છે.
બટાકા
બટાકામાં વિટામિન બી-૬ પોટેશિયમ અને વિટામિન સી જોવા મળે છે, જો તેને વારંવાર ગરમ કરવામાં આવે તો તેમાં બેક્ટેરિયા વધી શકે છે અને તેનાં પોષક તત્ત્વ પણ નાશ પામે છે.
મશરૂમ
મશરૂમ્સને રાંધવાના એક દિવસ પછી ખાવા માટે સંગ્રહિત કરશો નહીં. મશરૂમ પ્રોટીનનો સારો સ્ત્રોત છે અને તેમાં ભરપૂર ખનિજ હોય છે. પરંતુ તેને ફરીથી ગરમ કરવાથી હાજર પ્રોટીન તૂટી જાય છે અને વિષાણુ પદાર્થ ઉત્પન્ન થાય છે જે તમારા પાચનતંત્રને નુકસાન પહોંચાડે છે.
નાઇટ્રેટ યુક્ત ભોજન
નાઈટ્રેટથી ભરપૂર શાકભાજી જેમકે પાલક, લીલાં પાંદડાંવાળાં શાકભાજી, ગાજર, સલગમ, બીટ વગેરેને ફરીથી ગરમ કરવાનું ટાળો. તેને ફરીથી ગરમ કરવાથી, તે નાઈટ્રાઈટ અને પછી નાઈટ્રોજમીન્સમાં ફેરવાય છે, જે શરીરની પેશીઓ માટે હાનિકારક હોઈ શકે છે અને કેન્સરનું જોખમ વધારે છે