દહીં પોષક તત્વોથી ભરપૂર હોય છે. પરંતુ કેટલાક એવા ખોરાક છે જેની સાથે દહીંનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ. કારણ કે તેનાથી ફાયદો થવાની જગ્યા પર સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થાય છે.
પોષક તત્વોથી ભરપૂર હોય છે દહીં
પરંતુ આ વસ્તુઓ સાથે ન કરો દહીંનુ સેવન
સ્વાસ્થ્યને ફાયદા નહીં થશે નુકસાન
દહીંને બેસ્ટ ફૂડ માનવામાં આવે છે. સાથે જ પેટને સ્વસ્થ રાખવા માટે દહીંનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે દહીં પોષક તત્વોથી ભરપૂર હોય છે. દહીં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન્સ, બી-12, મેગ્નેશિયમ જેવા જરૂરી પોષક તત્વોનો સારો સ્ત્રોત છે.
દરરોજ દહીંનું સેવન કરવાથી વજન નિયંત્રણમાં રહે છે અને તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં પણ મદદ મળે છે. તેથી દરરોજ દહીંનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ કેટલાક એવા ખોરાક છે જેની સાથે દહીંને ભૂલથી પણ ન ખાવું જોઈએ. આવો અમે તમને અહીં જણાવીએ કે દહીં સાથે કઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ?
દહીં સાથે ન કરો આ વસ્તુઓનું સેવન
અડદની દાળ
આમ તો દહીં તમારા પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ જો તમે અડદની દાળ સાથે દહીંનું સેવન કરો છો તો તે તમારા પાચન તંત્રને અસર કરી શકે છે. તેનાથી પેટમાં ગેસ, બ્લોટિંગ, સોજા, કબજિયાત અને ઉલ્ટી-ઝાડા જેવી સમસ્યાઓ થઈ શકે છે. એટલા માટે તમારે આ ફૂડ કોમ્બિનેશન ટાળવાની જરૂર છે.
કેરી
ઉનાળામાં લોકો ઠંડક માટે શેક અને સ્મૂધીનું ખૂબ સેવન કરે છે. સ્મૂધીમાં ફળ, ડ્રાય ફ્રૂટ્સ અને સીડ્સની સાથે દહીં અને દૂધને મિક્ષ કરવામાં આવે છે. ઘણા લોકો કેરી સાથે દહીં પણ મિક્સ કરે છે. પરંતુ જો તમે કેરી અને દહીં એકસાથે ખાઓ તો તે તમારા પેટને ખરાબ કરી શકે છે. આટલું જ નહીં તેનું વધુ પડતું સેવન કરવાથી ત્વચા પર ખીલ અને એલર્જીની સમસ્યા થઈ શકે છે.
દૂધ
તમારે દહીં સાથે દૂધનું સેવન કરવાની ભૂલ ન કરવી જોઈએ કારણ કે તેનું સેવન કરવાથી તમને પેટમાં ગેસ, પેટનું ફૂલવું, કબજિયાત અને ઉલટી-ઝાડા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
ડુંગળી
લોકો રાયતામાં ઘણા પ્રકારના શાકભાજીનો ઉપયોગ કરે છે, ઘણા લોકો ડુંગળી સાથે દહીં પણ ખાય છે, પરંતુ તે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. ડુંગળી સાથે દહીંનું સેવન કરવાથી પેટ સંબંધિત, એલર્જી અને સોરાયસિસ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.