આમ તો રાતે મોડા જમવું જ ન જોઇએ. એવું કહેવાય છે કે સાંજે 6.30થી 7.30ની વચ્ચે જમી લેનારી વ્યક્તિ હેલ્ધી રહે છે. વહેલા જમવાનું મહત્ત્વ તો આપણા શાસ્ત્રોમાં લખેલુ છે. રાતે હેવી ભોજન પણ ન કરવું જોઇએ, પરંતુ ખાવાના શોખીન વ્યક્તિઓ દ્વારા આ નિયમોનું પાલન થતુ નથી. જોકે એવી કેટલીક વસ્તુઓ છે જે રાતે લેવાથી બચવુ જોઇએ.
સ્નેક્સ
રાતના સમયે કેટલીક વસ્તુઓ અવોઇડ કરવી જોઇએ, તેમાં મેઇન સ્નેક્સ છે. સ્નેક્સ કે ચિપ્સનું સેવન આમ તો દિવસ દરમિયાન પણ હાનિકારક છે. તેમાં વધુ માત્રામાં મોનોસોડિયમ ગ્લુટામેટ હોય છે જે તમને ઉંઘ સંબંધિત સમસ્યાઓ આપવાની સાથે અન્ય સ્વાસ્થ્ય પરેશાનીઓ પણ આપી શકે છે.
આલ્કોહોલ
રાતે સુતી વખતે કોઇ પણ પ્રકારનો નશો તે આલ્કોહોલનું સેવન તમારા માટે હાનિકારક સાબિત થઇ શકે છે. તે તમારી ઉંઘ પણ પ્રભાવિત કરે છે. ખાસ કરીને તે વાઇન ઉંઘની ગુણવત્તા ખરાબ કરે છે અને ઉંઘના સમયને ઘટાડે છે અને તેમાં કેલરી પણ વધુ માત્રામાં હોય છે.
પિત્ઝા
હંમેશા રાતે લોકો પાર્ટી કરવા માટે કે બહાર ડિનર માટે જાય ત્યારે પિત્ઝા ખાવાનું પસંદ કરે છે. તેને પચાવવા માટે તમારા શરીરે ખુબ મહેનત કરવી પડે છે. આ ઉપરાંત પીત્ઝામાં ચિકાશ પણ હોય છે. તેમાં જે સોસ અને અન્ય મસાલાનો ઉપયોગ થાય છે તેનાથી હાર્ટબર્નનો ખતરો વધે છે. તેથી કોશિશ કરો કે રાતે સુતી વખતે તેનો પ્રયોગ બિલકુલ ન કરવો
બર્ગર
સુતા પહેલા બર્ગર ખાવુ પણ હેલ્થને નુકશાન કરે છે. બર્ગરમાં ચીઝ અને સોસનો પ્રયોગ કરીને તમે તેનો સ્વાદ વધારી શકો છો, પરંતુ આ બધી વસ્તુઓ પેટમાં પ્રાકૃતિક એસિડ વધારે છે. તેનાથી હાર્ટબર્નની સમસ્યા થાય છે. તેથી રાતે તે બિલકુલ ન ખાવ
પાસ્તા
પાસ્તામાં ભરપુર કેલરી હોય છે. તેમાં વધુ માત્રામાં કાર્બોહાઇડ્રેટ પણ હોય છે. તે ફેટમાં બદલાય છે. તેમાં નાંખેલી ચીઝ તેને વધુ ફેટી બનાવે છે. તેનો ગ્લાયસિમિક ઇન્ડેક્સ પણ ઉંચો હોય છે તેથી ડિનરમાં કે રાતના સ્નેક્સમાં તેનો પ્રયોગ ન કરો
ડુંગળી, બ્રોકોલી અને કોબી જેવા શાક
આ બધા શાકભાજીમાં વધુ ફાઇબર હોય છે. તે લાંબા સમય સુધી તમારુ પેટ ભરેલુ રાખે છે અને પાચનતંત્રની ગતિ ધીમી પાડે છે. તેનાથી ગેસ કે પિત્તની સમસ્યા થઇ શકે છે. તેથી આવા શાકભાજી રાતના સમયે ન ખાવા જોઇએ.