હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનો ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ મહિનામાં માત્ર વ્રત રાખનારા લોકો જ નહીં, પરંતુ સામાન્ય લોકો પણ કેટલીક વસ્તુઓથી દૂર રહેવાનું પસંદ કરતા હોય છે. આ મહિનામાં નોનવેજ ઉપરાંત રીંગણ, લીલાં શાકભાજી ખાવાની પણ મનાઇ હોય છે. શ્રાવણ મહિનામાં શા માટે લીલાં શાકભાજી ન ખાવાં જોઇએ.
ચોમાસામાં રાખો હેલ્થનું ધ્યાન
લીલા શાકભાજીથી રહો દૂર
હેલ્થ ઇઝ વેલ્થ
કેમ ન ખાવાં લીલાં શાકભાજી
વરસાદની સિઝનમાં લીલાં પાંદડાંવાળી શાકભાજીમાં બેક્ટેરિયા અને કીડા હોય છે, તે ખાવાથી પેટમાં દુખાવો, ઇન્ફેક્શન અને અન્ય બીમારીઓનો ખતરો રહે છે. આ કારણ છે કે શ્રાવણમાં પાલક, મેથી, કોબીજ, ફ્લાવર ન ખાવાં જોઇએ.
રીંગણથી પણ રહો દૂર
લીલાં શાકભાજીની સાથે આ મહિનામાં રીંગણ પણ ન ખાવાં જોઇએ, કેમ કે તેમાં પણ કીડા લાગેલા હોય છે. તેને ખાવાથી પેટમાં ઇન્ફેક્શનની સમસ્યા થઇ શકે છે.
ડેરી પ્રોડક્ટથી રહો દૂર
ડેરી પ્રોડક્ટ, જેમ કે દૂધ, દહીં, પનીર વગેરેનું સેવન કરવાથી વાતદોષ વધે છે, તેનાથી શરદી, ઉધરસ, ગળામાં ઇંફેક્શન, સાંધા, કાન અને ખભાની માંસપેશીઓ તેમજ પીઠના નીચેના ભાગમાં દુખાવો થઇ શકે છે, તેના કારણે તમને ઘણા હેલ્થ પ્રોબ્લેમ થઇ શકે છે, સાથે તેનાથી ડાઇઝેશન સિસ્ટમ પણ નબળી પડે છે. આવા સંજોગોમાં સારું એ જ રહેશે કે તમે તેનાથી દૂર રહો.
તળેલી વસ્તુઓથી પણ રહો દૂર
વરસાદની સિઝનમાં તળેલી વાનગીઓ ન ખાવી જોઇએ. વધારે મસાલેદાર ભોજનથી પણ દૂર રહેવું જોઇએ, તેનાથી પેટ સાથે જોડાયેલી સમસ્યા થઇ શકે છે. આ ઉપરાંત લીંબુ અને દાડમથી પણ દૂર રહો.
શું ખાવું જોઈએ
આયુર્વેદ મુજબ આ સિઝનમાં એવી વસ્તુઓ ખાવી જોઇએ, જે સરળતાથી પચી જાય. વરસાદમાં તમે તુવેરદાળ, ટામેટાં, બટાકા, કોળું, દૂધી, નટ્સ, બીન્સ, ફળ, મખના, શિંગોડાનો લોટ, સાબુદાણા, કેળાં, જાંબુ અને નાસપતિ ખાઇ શકો છો. કોશિશ કરો કે શ્રાવણ દરમિયાન સાત્ત્વિક ભોજન જ લો.