આજની ભાગદોડ ભરી જિંદગીમાં દરેક વ્યક્તિ માટે આરામ કરવો એક સમસ્યા બની ગઇ છે. પૈસાની પાછળ વ્યક્તિ એટલો ગાંડો થઇ ગયો છે કે પોતાના માટે પણ સમય કાઢી શકતો નથી પરંતું શું તમે જાણો છો કે ઊંઘ શરીર માટે કેટલી જરૂરી છે? શરીરને પૂરતી ઊંઘ ન મળવાથી બ્લડપ્રેશર ડાયાબિટીઝ હાર્ટ એટેક જેવી જીવલેણ બિમારીનો શિકાર થઇ શકે છે. જેથી દરેક વ્યક્તિએ ઓછામાં ઓછુ 6-7 કલાક ઊંઘવું જોઇએ જ્યારે વૃદ્ધોએ 8-9 કલાક ઊંઘવું જોઇએ.
પહેલાંના જમાનામાં લોકો સાંજનુ જમીને વહેલાં ઊંઘી જતા જ્યારે આજની ભાગદોડની જિંદગીમાં એ વસ્તું મુશ્કિલ છે. મોટાભાગના લોકો દારૂ પીવાનું પસંદ કરે છે તેમનું માનવુ છે કે દારૂ પીવાથી ઊંઘ સારી આવે છે પરંતું દારૂ પીને ઊંઘવાથી બિજા દિવસે સવારે તમારા શરીરમાં સ્ફુર્તિ અને તાજગી નથી રહેતી. આ ઉપરાંત દારૂ પીવાથી શરીરને અઢળક નુકસાન થાય છે.
ઘણા લોકો રાત્રે જમ્યા પછી આઇસક્રીમ ખાવાનું પસંદ કરે છે પરંતુ તે આપણા શરીર માટે હાનિકારક સાબિત થઇ શકે છે. આઇસક્રીમમાં ફૈટ અને શુગર વધારે પ્રમાણમાં હોય છે. જેથી શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે. જેથી મોડી રાત સુધી ઊંઘ નથી આવતી. જેથી રાત્રે
આ ઉપરાંત રાત્રે જમ્યા બાદ ડોર્ક ચોકલેટ ન ખાવી જોઇએ. આ ચોકલેટમાં થિયોબ્રોમાઇનું પ્રમાણ હોય છે. જે હાર્ટના ધબકારા વધારે છે અને શરીરમાં ઉર્જાનો સંચાર કરે છે. જેથી ઊંઘ નથી આવતી અને શરીરને ભારે નુકસાન થાય છે.