ઘણા લોકોને એવી આદત હોય છે કે તેઓ પેશાબ કર્યા પછી તરત જ પાણી પી લે છે. જો તમે પણ રોજ આવું કરો છો તો તે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
ટોઇલેટ ગયા પછી તરત જ પાણી ન પીવું
આવું કરતા હોવ તો થઇ જજો સાવધાન
મૂત્રપિંડની પથરી થઇ જવાની શક્યતા
નિષ્ણાતોના મતે આ આદત તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
ગંભીર સમસ્યાઓનું જોખમ
જ્યારે તમે પેશાબ કર્યા પછી તરત જ પાણી પીવો છો, તો તેના કારણે કિડની સંબંધિત કેટલીક ગંભીર સમસ્યાઓનું જોખમ રહે છે. જો કે જો તમે આવું ક્યારેક-ક્યારેક કરો છો, તો તેનાથી તમને કોઈ સમસ્યા નથી થતી, પરંતુ જ્યારે તમે દરરોજ આ કરો છો, તો કિડની સંબંધિત સમસ્યા થઈ શકે છે.
મૂત્રપિંડની પથરી
જ્યારે તમે પેશાબ કરો છો, ત્યારે તમારી પેશાબની થેલી ખાલી થઈ જાય છે. આવી સ્થિતિમાં, તેના પછી તરત જ પાણી પીવાથી કિડનીમાં પથરીનું જોખમ વધી જાય છે.
આ બાબતોનું ધ્યાન રાખો
જો તમે પાણી પીતા હોવ તો પણ આ દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખો. પેશાબ કર્યા પછી તરત જ થોડી માત્રામાં પાણી પીવું જોખમી નથી, પરંતુ દરરોજ વધુ પાણી ન પીવો. તમે કેટલું પાણી પીઓ છો તે મહત્વનું છે. જેના કારણે યુરિન ઈન્ફેક્શનનો ખતરો રહે છે. લગભગ 10 થી 15 મિનિટ સુધી પાણી ન પીવું જોઈએ.