તમે મોટાભાગે સાંભળ્યું હશે કે દૂધને ઉકાળીને પીવું જોઇએ કારણ કે એમાં મોજૂદ સૂક્ષ્મ જીવ નષ્ટ થઇ જાય અને તમને લાભ મળે. પરંતુ તમે એવું જાણતા નહીં હોવ કે દૂધને વારંવાર ઉકાળીને પીવાથી શરીર માટે હાનિકારક હોઇ શકે છે. દૂધમાં શરીર માટે જરૂરી પોષત તત્વ મોજૂદ હોય છે જેને તમે વારંવાર ઉકાળો છો એ તત્વ ખતમ થઇ જાય છે. દૂધમાં કેલ્શિયમ વસા પ્રોટીન ફોસ્ફરસ વિટામીન બી 12 વિટામીન એ જે સ્વસ્થ વર્ધક હોય છે.
આ તમામ તત્વ આપણને દૂધ પીવાથી મળે છે જે આપણા હાડકા અને દાંતને મજબૂત કરવાની સાથે સાથે ઊર્જા પણ આપે છે. વારંવાર દૂધને ઉકાળવાથી તમામ પૌષ્ટિક તત્વો નષ્ટ થઇ જાય છે. જાણો દૂધને વધારે ઉકાળવાનું નુકસાન.
નાશ પામે છે પોષક તત્વ
એક સ્ટડી અનુસાર માત્ર 17% મહિલાઓ જ આ વાતને જાણે છે કે વારંવાર દૂધ ઉકાળવાથી એના પોષક તત્વો ખતમ થવા લાગે છે જ્યારે 59% મહિલાઓ માને છે કે દૂધને વારંવાર ઉકાળવાથી પોષક તત્વ વધે છે. જ્યારે 27% માને છે કે પોષક તત્વ પર કોઇ અસર પડતી નથી.
ઉકાળતી વખતે રાખો ધ્યાન
જો તમારે દૂધના પોષક તત્વને યથાવત રાખવા છે તો દૂધને વારંવાર ઉકાળવાથી બચો. આ ઉપરાંત જો દૂધને ઉકાળવું જ પડે તો ધ્યાન રાખો કે એને 2 થી 3 મિનીટથી વધારે ઉકાળશો નહીં. જ્યાં સુધી દૂધ ગેસ પર રાખ્યું હોય એને ચમચીથી હવાલતા રહો.
ઓછું ઉકાળો
એમાં હંમેશા એવો પ્રયત્ન કરો કે દૂધ ઉકાળવાના થોડા સમય બાદ એને ગેસ પરથી ઉતારી લો. દૂધને એક વાર ઉકાળ્યા બાદ એને ફ્રીઝમાં રાખી લો. વધારે જરૂરી હોય તો જ ઉકાળો.